________________
૨૯૮
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ દ્વાર | ગાથા ૨૧૧-૨૧૨ ટીકાર્થ :
કુષ્ઠાદિ વ્યાધિના પણ ક્ષયના હેતુરૂપ સેવાતાં થોડા આરોગ્યને દર્શાવતાં કટુકાદિ પણ=કડવાં ઔષધાદિ પણ, જનની વૃતિને જ કરે છે, આ=કટુ ઔષધાદિ પણ જનની વૃતિને કરે છે એ, અનુભવથી સિદ્ધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જે રીતે કોઢ વગેરે રોગથી અતિ વિહ્વળ બનેલા રોગીને કટુ ઔષધનું સેવન કરવાથી થોડું આરોગ્ય થતું દેખાય, તો કડવાં ઔષધ પણ તે ધૃતિપૂર્વક સેવે છે; કેમ કે તે રોગીને વ્યાધિની પીડા જેટલું અનિષ્ટ કડવા ઔષધમાં દેખાતું નથી;
તે રીતે મુનિને પણ પોતાનામાં વર્તતી કર્મરૂપ વ્યાધિ દેખાતી હોય છે, અને તેઓ જાણતા હોય છે કે આ જીવ કર્મરૂપી વ્યાધિને કારણે સંસારમાં સર્વ કદર્થનાઓ પામે છે અને તે કર્મવ્યાધિમાં પણ મુખ્યરૂપે રાગાદિની પરિણતિરૂપ ભાવકર્મ સર્વ અનર્થોનું બીજ છે. માટે તે ભાવકર્મરૂપ રાગાદિસ્વરૂપ વ્યાધિને મટાડવા માટે ભગવાનના વચનાનુસારે આહારાદિની પ્રાપ્તિ માટે યત્ન કરવો જોઈએ, અને તે આહારાદિ પ્રાપ્ત કરતી વખતે પણ વેઠવાં પડતાં સુધા-તૃષાદિમાં ચિત્તને ક્લેશ પેદા ન થાય તે માટે યત્ન કરવો જોઈએ; અને તે માટે વિચારવું જોઈએ કે ભાવઆરોગ્યના અનન્ય ઉપાયરૂપે ભગવાને આ ભિક્ષાટનાદિની વ્યવસ્થા બતાવી છે.” મુનિને આ પ્રકારનું જ્ઞાન હોવાથી કર્મવ્યાધિને મટાડવાના ઉપાયભૂત સુધા-તૃષાદિને તેઓ ધૃતિપૂર્વક સહન કરે છે. તેથી વિદ્યમાન પણ સુધાદિ મુનિને દુઃખરૂપ તો થતાં નથી, પરંતુ તેનાથી ભાવવ્યાધિની અલ્પતા થવાને કારણે તે સુધાદિ સુખરૂપ થાય છે. ll૨૧૧al અવતરણિકા :
एष दृष्टान्तः, अयमर्थोपनयःઅવતરણિકાર્ય :
આ = પૂર્વગાથામાં બતાવ્યું કે, વ્યાધિનું દૃષ્ટાંત છે, અને આ = પ્રસ્તુત ગાથામાં બતાવાશે એ, અર્થોપનય છે અર્થાત્ વ્યાધિના દષ્ટાંત દ્વારા જણાવાતા પદાર્થનું યોજન છે
ગાથા :
इअ एएऽवि अमुणिणो कुणंति धिइमेव सुद्धभावस्स ।
गुरुआणासंपायणचरणाइसयं निदंसिंता ॥२१२॥ અન્વયાર્થ :
રૂમ મ = અને આ રીતે ગુમાસંપાયવરફથું = ગુરુની આજ્ઞાના સંપાદન દ્વારા ચરણના અતિશયને નિર્વાણતા = દર્શાવતા એવા પ્રવિ=આ પણ = સુધાદિ પણ, સુદ્ધમાવશ્ય મુનિ = શુદ્ધભાવવાળા મુનિની થિરૂવ viતિ = કૃતિને જ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org