SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૪૮૬-૪૮૯] ૨૯૩ ૬૧માં તથા “ર” અને “ગુવાળું એક પદ્ય પૃ. ૬રમાં છે. P ૪૮૮ પૃ. ૧૨માંનાં પદ્યો મહાભુત, અદ્ભુત અને પ્રહેલિકાનાં, પૃ ૧૩માંના પદ્યો છત્ર-બંધ સોળ પાંખડીનું કામળ, ગોમૂત્રિકા-બંધ, અર્ધભ્રમ, બીજપૂરબંધ અને ‘આસન-બંધ તેમ જ પૃ ૧૪માંના બે પદ્યો ચામર-બંધના ઉદાહરણ પૂરાં પાડે છે. પૃ. ૨૫ના અંતમાં ત્રણ પદ્યો છે. એને અંગે અષ્ટારચક્ર, પરિધિશ્લોક અને ક્રિયાગૂઢ એવો ઉલ્લેખ કરાયો છે. પૃ ૪૩-૪૫માં આદિનાથનું ૨૪ પદ્યનું જે સ્તવન છે એમાં પાંચમાં પદ્યને અંગે ‘નાયકમણિ' એવો ઉલ્લેખ છે. પૃ ૪૮ ઉપર પ્રશ્નોત્તરો, પ્રહેલિકા અને ભાવાલંકારના નમૂનારૂપે પદ્યો અપાયાં છે. પૃ. ૫૩-૫૪ “ચિન્તામણિ પાર્શ્વનાથની સાત શ્લોકની સ્તુતિ છે. તેમાં છઠ્ઠો શ્લોક ચતુરર્થીના ઉદાહરણરૂપ છે જયારે શ્લો.-૬ પંચવર્ગપરિતાપૂર્વક રચાયા છે. પૃ. P. ૪૮૯ ૬ર ઉપરના અંતિમ શ્લોકમાં પણ પ્રથમ પાંચ વર્ગના વ્યંજન નથી. વિશેષમાં એ તો “છત્ર બંધથી પણ વિભૂષિત છે. આ પૃ ૬૨ના આઠમા શ્લોક પરત્વે “મહાભુત અને પ્રથમાનાં એકવચન અને બહુવચન વડે વ્યાખ્યા કરવી એવો ઉલ્લેખ છે. આના ચાર અર્થ કોઇએ પણ દર્શાવ્યા હોય એમ જણાતું નથી પૃ. ૬૩માં સ્વસ્તિક, ચામર-બંધ અને આસન-બંધથી અલંકૃત શ્લોકો છે.' (૬) વિજ્ઞપ્તિપત્રિકા (ઉ. વિ. સં. ૧૬૭૨)- આ મહોપાધ્યાય કીર્તિવિજયે વિદ્યાપુરથી P. ૪૯૦ ઇલાદુર્ગમાં રહેલા વિજયસેનસૂરિને ઉદેશીને ૮૭ પદ્યમાં રચેલી કૃતિ છે. આનો પ્રારંભ પાર્શ્વનાથની સ્તુતિથી કરાયો છે. કર્તાએ પોતાનું નામ ૩૭માં પદ્યમાં દર્શાવ્યું છે. ૪૨મા પદ્યમાં પ્રજ્ઞપ્તિ અને રાજપ્રશ્ની એમ બે આગમોનાં નામ છે. ૪૭મા પદ્યમાં લડુક અને શુકભક્ષિકા એ બે મીઠાઈનાં નામ છે. અંતમાં વિવિધ મુનિવરોની નતિ (પ્રણામ) અને અનુનતિનો ઉલ્લેખ છે. ૧. આની ઉપરના પદ્યને અંગે “રસનોપમા' એવો ઉલ્લેખ છે. ૨. અન્ય ઉદાહરણ માટે જુઓ પૃ. ૬૨ ૩, અન્ય ઉદાહરણ માટે જુઓ પૃ. ૬૩ ૪. અન્ય ઉદાહરણ માટે જુઓ પૃ. ૬૩ પ. આ રહ્યું એ પદ્ય – "यः स्वैरिवैरिविलयाय सहः सहस्वी स्वीयस्ववशबहुलाम्बरशर्वरीशः । शश्वल्ललौ वशविहाररसीह शीलं श्रेयोरहस्यसरसीरुहसूर एषः ॥६॥" ૬. આમ અહીં જે વિવિધ બંધોનો ઉલ્લેખ છે તેનાં નામ અને તેને લગતાં પદ્યો તેમ જ આસન, બીજપૂર, અને હાર બંધ સિવાયના બંધથી વિભૂષિત પદ્યોને અંગેનાં ચિત્રોની સમજણ TL D (હો ૨, પૃ. ૧૧૭૧૨૦)માં આપ્યાં છે. ૭. આને વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૧૫-૧૫૮)માં સ્થાન અપાયું છે. ૮. એમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૬૭૨માં થયો હતો. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy