SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : પ્રિ. આ. ૪૩૮-૪૪૧] ૨૬૭ ' (૧૯) 'કાલુ-ભક્તામર-સ્તોત્ર- આ તેરાપંથી સોહનલાલ-સ્વામીની કૃતિ છે. એ ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. એ પણ કાલુરામજીની સ્તુતિરૂપે રચાઈ છે. એમાં ૪૬ પદ્યો છે. (૨૦) હરિ-ભક્તામર- જિનહરિસાગરસૂરિજીના ગુણગાનરૂપ આ કૃતિના રચનાર એમના શિષ્ય કવીન્દ્રસાગરજી છે. (૨૧) ભક્તામર-શતદ્વયી– આ દિ. પં. લાલારામ શાસ્ત્રીની રચના છે. આનો આ વિલક્ષણ જણાતા નામથી શ્રી અગરચંદ નાહટાએ ઉલ્લેખ કર્યો છે.' ભક્તામરશતદ્વયી એ ભક્તામરનાં ૪૮ પદ્યોના પ્રત્યેકની પાદપૂર્તિરૂપ હોઈ એ જાતનાં એમાં ૧૯૨ પદ્યો છે. એ પછી આઠ પદ્યો છે. એથી એનું નામ “ભક્તામરશતદ્વયી' યથાર્થ ઠરે છે. એ રૂપલાલ મોતીલાલ મીંડાએ પ્રસિદ્ધ કર્યું છે. (૨૨) વિજ્ઞપ્તિલેખગત પાદપૂર્તિ- વિજ્ઞપ્તિલેખ એ પં. લાભવિજયની કૃતિ છે. એનું 100મું P ૪૪૧ પદ્ય તે ભક્તામર સ્તોત્રના તૃતીય પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. જુઓ પૃ. ૪૪૩ [(૨૩) સચિત્ર સુશીલભક્તામર : કર્તા આ. સુશીલસૂરિ મ.પ્ર. “સુશીલસાહિત્ય પ્ર.” જોધપુર.] (રૂ) સંસારદાવાનલની પાદપૂર્તિરૂપ કાવ્યો [૫] (૧) પ્રમદ' પાર્થ-જિન-સ્તવન (લ. વિ. સં. ૧૫૧૦)- આ મંડપાચલના મંડનરૂપ “પ્રમદ’ પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે. એના કર્તા “ખરતરમ્ ગચ્છના જિનભદ્રસૂરિના ભક્ત ઉપાધ્યાય "સિદ્ધાન્તરુચિ છે. એમણે આ સ્તવનનો પ્રારંભ “યો ત્રધાનં મતાનિધાનં થી કર્યો છે. અંતિમ પદ્યમાં એમણે પોતાના નામનો સિદ્ધાન્ત' એવો અંશ રજૂ કર્યો છે અને સાથે સાથે જિનભદ્રનો પણ ઉલ્લેખ કર્યો છે. એમણે “સંસારદાવાનલ સ્તુતિનાં ચારે પદોનું પ્રત્યેક ચરણ ચતુર્થ ચરણરૂપે સ્વીકારી એની ૧. આ કાવ્ય અન્વય અને એના હિન્દી અર્થ તેમ જ ભાવાર્થ સાથે “જે. જે. એ. સ.” તરફથી કલકત્તાથી વિ. સં. ૧૯૮૮માં પ્રસિદ્ધ કરાયું છે. ૨. આ નામ મેં યોજયું છે. ૩. આ કૃતિ છપાયેલી છે. ૪. ભક્તામર-પાદપૂર્યાત્મક સ્તોત્ર- આના કર્તા ગિરધર શર્મા નવરત્ન છે. એઓ અજૈન છે. એ હિસાબે તો આ કૃતિ અજૈન ગણાય છે. પ. આ સ્તવન જૈનસ્તોત્રસંગ્રહ ભા. ૧, પૃ. ૬૭-૬૯માં છપાવાયું છે. માંડવઠા મંત્રી અથવા પેથડHIRI. પરિવય નામનું જે પુસ્તક વીરસંવત્ ૨૪૪૯ (વિ. સં. ૧૯૭૯)માં પ્રસિદ્ધ થયું છે. તેના અંતમાં પૃ. ૬૪૬૯માં પણ આ જ સ્તવન છપાયું છે. આથી શ્રી. અગરચંદ નાહટાએ એને ભિન્ન ગયું છે. તે એમની ભૂલ છે એમ ફલિત થાય છે. ૬. “જુઓ જૈ. સિ. ભા.” ( ભા. ૩, કિ. ૩, પૃ. ૧૧૦). ૭. એઓ પુષ્પમાલા ઉપર વિ. સં. ૧૫૧૨માં વૃત્તિ રચનારા સાધુ-સોમના ગુરુ થાય છે. ૮. આના ગુજરાતી બાલાવબોધને શ્રી. અગરચંદ નાહટાએ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૦, અં. ૮)માં છપાયેલા પોતાના નિમ્નલિખિત લેખમાં સ્થાન આપ્યું છે અને સાથે સાથે આ બાલાવબોધ વિક્રમની ૧પમી-૧૬મી સદીની એક થથપોથીમાંથી ઉદ્ભૂત કરી અહીં આપ્યાનું કહ્યું છે :"संसार दावानल स्तुति की एक प्राचीन भाषा की टीका" Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy