SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૪૧૩-૪૧૬] ૨૫૩ પ્રણેતા મહોપાધ્યાય મેઘવિજયગણિ હોય તો ના નહિ. આ સ્તોત્રનો પ્રારંભ “શ્રીપર્ધ: પ્ર: પ્રમારિ રે ૪૧૫ રૂવથી કરાયો છે. એમાં કહ્યું છે કે રાવણ કૈલાસ પર્વત ઉપરથી પાર્શ્વનાથની પ્રતિમા પોતાના નગરમાં લઈ ગયો. એણે “રાવણ” નામનું નગર વસાવ્યું અને ઇન્દ્રજિત એની પાસે ઇન્દ્રપ્રસ્થનામનું નગર વસાવ્યું. ત્રીજા પદ્યમાં કહ્યું છે કે જે પ્રભુનું નામ “શ્રાવણ'ના વિષયમાં વર્તતું છે (‘શ્રાવણમાંથી શું કાઢી લેતાં “રાવણ' રહે છે.) 'અનુવાદ– આ સ્તોત્રને ગુજરાતીમાં કોઈએ અનુવાદ કર્યો છે. વિહરમાણવિંશતિજિનસ્તવ ( )- આ અજ્ઞાતકર્તૃક સ્તવ પાદાન્ત યમકથી અલંકૃત છે. એનો પ્રારંભ “જીમાધીશ”થી થાય છે. એનાં પહેલાં વીસ પઘો અનુક્રમે વીસ વિહરમાણ તીર્થકરોની સ્તુતિરૂપ છે જ્યારે એ પછીનાં ચાર પદ્યો શાશ્વત તીર્થકરોને અંગેનાં છે. ૨૫મું પદ્ય જૈન આગમની, ૨૬મું સમસ્ત જિનેશ્વરોની અને ૨૭મું (અંતિમ) ગીર્દેવતા (સરસ્વતી)ની સ્તુતિરૂપ છે. વિહરમાણવિંશતિસ્તવન (વિ. સં. ૧૬૮૨)– આ વિજયસેનસૂરિના શિષ્ય કમલવિજયગણિએ વિ. સં. ૧૬૮૨માં રચ્યું છે. *વિહરમાણજિનસ્તોત્ર- આ અજ્ઞાતકર્તક કૃતિની એક હાથપોથી લીંબડીનાં ભંડારમાં છે. “એકાક્ષર-વિચિત્ર-કાવ્ય- આ ચાર પદ્યની કૃતિમાં કેવળ “ર' વ્યંજન વપરાયો છે. પ્રથમ પદ્ય P ૪૧૬ અરનાથ નામના તીર્થકરની સ્તુતિરૂપ છે, જ્યારે બીજું પદ્ય બ્રહ્માની, ત્રીજાં વિષ્ણુ અને લક્ષ્મીની અને ચોથું મહાદેવની સ્તુતિરૂ૫ છે. અવચૂરિ– આ અજ્ઞાતકર્તક છે. એ જૈનસ્તોત્રરત્નાકરમાં પ્રકાશિત છે. નેમિનિજસ્તવ- આ નવ પદ્યની લઘુ કૃતિમાંનાં પહેલાં આઠ પદ્યમાં ‘નેમિ' શબ્દમાંના ‘નું અને “મ્' એ બે વ્યંજનો વપરાયાં છે. નવમામાં “વર્ધમાનોદય’ શબ્દગુચ્છ છે. એ કર્તાનું ગર્ભિતપણે નામ સૂચવતું હોય એમ લાગે છે. અવચૂરિ– આ કોઈકે રચી છે. એ જૈ. સ્તો. ૨. ભા. રમાં પ્રકાશિત છે. ૧. શ્રીમહાવીર ગ્રંથમાલામાં આ પ્રકાશિત છે. ૨. આ કૃતિ કોઈકની અવચૂરિ સહિત જૈનસ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર ૮૯આ-૯૫૮)માં છપાઈ છે. ૩. અહીં અપાયેલાં નામો ચતુહરાવલી-ચિત્રસ્તવગત નામોથી કંઇક અંશે ભિન્ન છે. જેમકે યુગબાહુને બદલે શ્રીબાહુ, રવિપ્રભને બદલે સૂરપ્રભ, ચન્દ્રબાહુને બદલે વજબાહુ અને વીરાસને બદલે વીરસેન ૪. લબ્ધિસાગરે જ.મ.માં ૩૨૫શ્લોક જેવડું વિહરમાણજિણોત્ત રચ્યું છે. ૫. આ “ોર રેરાથી શરૂ થતી કૃતિ અવસૂરિ સહિત જૈન સ્તોત્ર-રત્નાકર (ભા. ૨, પત્ર ૭૩ અ-૭પ)માં છપાઈ છે. ૬. આ કૃતિ અવસૂરિ સહિત જૈ. સ્તો. ૨. (ભા. ૨, પત્ર ૬૭ અ- ૬૮૪)માં છપાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy