SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૦૨-૩૦૫] ૧૮૯ સમ્મઈ-પકરણની વાદમહાર્ણવ નામની ટીકા (પૃ. ૭૬૧)માં અભયદેવસૂરિએ સિદ્ધસેનનું ગયું છે જ્યારે અન્યયોગવ્યચ્છેદકાર્નાિશિકા (શ્લો. ૨)ની સ્યાદ્વાદમંજરી નામની ટીકા (પૃ. ૩૨૧ જૈનની આવૃત્તિ)માં મલ્લિષેણસૂરિએ એને સમન્તભદ્રકૃત વિમલનાથસ્તવનું ગણ્યું છે.' P. ૩૦૪ વૃષભદેવના કુળ તરીકે ઈશ્વાકુનો, અરિષ્ટનેમિ માટે “હરિવંશ'નો અને પાર્શ્વનાથ માટે ઉગ્ર’ કુળનો ઉલ્લેખ કરાયો છે. સજુલન–સિદ્ધસેન દિવાકરની પહેલી પાંચ દ્વાáિશિકાઓ તેમ જ એમણે રચેલાં ન્યાયાવતાર અને સમ્મઈપયરણ સાથે આ સ્વયંભૂ-સ્તોત્રનાં કેટલાંક પદ્યો સલનાર્થે વિચારી શકાય. દા. ત. ગ્લો. ૫૪ સમ્મઈપયરણના પ્રથમ કાંડની ગાથા પ૬ સાથે, ગ્લો. ૬૨ એની ગા. ૪-૫ સાથે, ગ્લો. ૧૦૧ તૃતીય કાંડની ૨૭મી ગાથા સાથે, ગ્લો. ૧૧૪ તૃતીય કાંડની ગાથા ૩ સાથે, ગ્લો. પર ન્યાયાવતારના શ્લો. ૨૯ સાથે અને ગ્લો. ૫૭ એ પ્રથમ ધાર્નિંશિકાના શ્લો. ૪ સાથે સરખાવી શકાય. ટીકા- આ સ્તોત્ર ઉપર દિ. પ્રભાચન્દ્રની તેમ જ દિ. પં. આશાધરની એકેક ટીકા છે. આ પ્રભાચન્દ્ર “સ્વયંભૂનો અર્થ એ કર્યો છે કે પોતાની મેળે–અન્યના ઉપદેશ વિના મોક્ષમાર્ગને જાણીને એનું અનુષ્ઠાન કરી અનન્ત-ચતુષ્ટયરૂપ આત્મવિકાસને જે પામે તેને “સ્વયંભૂ' કહે છે. પર્યાય- ગુણચન્દ્ર આ રચેલ છે. હિન્દી અનુવાદ– શ્રી. જુગલકિશોરે આ તત્ત્વજ્ઞાનથી ઓતપ્રોત સ્તોત્રનો હિન્દીમાં અનુવાદ P ૩૦૫ કર્યો છે એની પ્રસ્તાવનામાં ભક્તિ-યોગ, જ્ઞાનયોગ અને કર્મ-યોગની ત્રિવેણી આ સ્તોત્રમાં વહે છે એ વાત વિસ્તારથી દર્શાવી છે. 'જિનશતક યાને સ્તુતિ-વિદ્યા– આના કર્તા તે સ્વયંભૂસ્તોત્ર ઇત્યાદિના પ્રણેતા દિ. સમન્તભદ્ર છે. એમાં આ “ભરતક્ષેત્રના વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરોની સ્તુતિ ૧૧૬ પદ્યોમાં કરાઈ છે. પ્રત્યેક પદ્ય ચિત્રકાવ્યરૂપ છે. કેટલાં યે પદ્યો “મુરજ-બંધથી વિભૂષિત છે. વૃત્તિ- આ વસુનન્ટિની રચના છે, નહિ કે ભવ્યોત્તમ નરસિંહકૃત એ વસુનદિ તે આતમીમાંસાના વૃત્તિકાર જ હશે. | ‘યુકત્યનુશાસન યાને વીરજિનસ્તોત્ર- આના કર્તા પણ દિ. સમન્તભદ્ર છે. એમણે આ દ્વારા ૧. આ પદ્ય કોણે રચ્યું છે એ બાબત મે “નાસ્તવથી શરૂ થતા પદ્યનું કર્તૃત્વ” નામના મારા લેખમાં વિચારી. છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૩, અં. ૬)માં છપાયો છે ૨-૩. ‘વીરસેવામંદિર' દ્વારા ઇ.સ. ૧૯૫૧માં આ બંને પ્રકાશિત છે. ૪. ‘સ્યાદ્વાદગ્રંથમાલા' ઈન્દોરથી ઇ. સ. ૧૯૧૨માં આ પ્રકાશિત છે. પ. એના ક્રમાંક માટે તેમ જ પદ્ય ૧ અને ૮૮ તથા તેનાં મુરજરૂપ ચિત્રો માટે જુઓ TL D (1st instal.)નાં અનુક્રમે પૃ. ૬૮, ૬૯ અને ૭૭-૭ ૬. “સ્યા. ઝં.” ઇન્દોરથી આ છપાયેલી છે. ૭. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૬૧) ૮. “સ. જૈ. ગ્રં.” અને “મા. દિ. ગ્રં.” તથા વીરસેવામંદિર દ્વારા આ પ્રકાશિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy