SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો : પ્રિ. આ. ૨૩૫-૨૩૭] ૧૪૯ (૧) યશસ્તિલક-ચંપૂ, (૨) વાભદાલંકાર, (૩) જ્ઞાનાર્ણવ, (૪) યોગશાસ્ત્ર, (૫) સાગારધર્મામૃત અને (૬) સૂક્ત-મુક્તાવલી. આથી એમ કહી શકાય કે વિ. સં. ૧૩00 કરતાં તો નાગદેવ પહેલાં થયા નથી. મદનપરાજયની વિ. સં. ૧૫૭૩માં લખાયેલી હાથપોથી મળે છે એટલે નાગદેવની આ કૃતિ એટલી તો પ્રાચીન ગણાય જ. 'કથારત્નાકર (વિ. સં. ૧૬૫૭)- આના પ્રણેતા હેમવિજય છે. એમણે વિ.સં. ૧૬૩૨માં મે ૨૩૭ પાર્શ્વનાથચરિત્ર રચ્યું છે. એમણે પ્રસ્તુત કૃતિ પ્રૌઢ ગદ્યમાં ૬૪૩૫ શ્લોક જેવડી વિ. સં. ૧૬૫૭માં રચી છે. એ દસ તરંગમાં વિભક્ત કરાઈ છે અને એમાં ૨૫૮ કથાઓ છે. "જર્મન અનુવાદ– આ કૃતિનો પ્રો. હર્ટલે જર્મનમાં અનુવાદ કર્યો છે. સમાનનામક કૃતિઓ– ઉત્તમર્ષિએ બે પ્રકરણમાં ૫૫00 શ્લોક જેવડો કથારત્નાકર રચ્યો છે. એને કથારત્નાકરોદ્વાર પણ કહે છે. પ્રો. પિટર્સને એમના ચોથા હેવાલ (પૃ. ૮૦)માં આમાંથી અવતરણ આપ્યું છે. વળી અન્ય કોઈએ કથારત્નાકર નામની એક કૃતિ રચી છે. [મદનરેખા આખ્યાયિકા- આના કર્તા જિનભદ્રસૂરિ છે. અજ્ઞાત કÖકટિપ્પણ સાથે પં. બેચરદાસ દોશીના સંપાદન પૂર્વક લા. દ. વિદ્યામંદિર દ્વારા ઈ.સ. ૧૯૭૩માં પ્રથમવાર જ પ્રગટ થઈ છે. | વિજયોલ્લાસમહાકાવ્ય- મહો. યશોવિ.ગણી... “યશોભારતી પ્ર.” મુંબઈ. ડૉ. શિવપ્રસાદે ‘તપગચ્છ કા ઇતિહાસ, ખરતરગચ્છ કા ઇતિહાસ, અંચલગચ્છ કા ઇતિહાસ (પ્ર. પાર્શ્વનાથ શોધપીઠ વારાણસી) અને અન્ય અનેક ગચ્છના ઇતિહાસ લખ્યા છે. જે જુદા જુદા સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે.] તેવી ચૌદવી તાબ્દિ છે નૈન સંસ્કૃત મહાવ્ય' શ્યામશંકર દીક્ષિત, પ્રકા. મલિક એન્ડ કંપની જયપુર. ઈ.સ. ૧૯૬૯. ‘. હેમચન્દ્રઃ વાવ્યાનુશાસનમ્ ૨ સમીક્ષાત્મામનુનનમ્' ડૉ. છગનલાલ શાસ્ત્રી, પ્રકા. પ્રાકૃત ભારતી અકાદમી. જયપુર. रघुवंशरीत्याऋषभदेववर्णनम्, कुमारसम्मवरीत्या गिरनारवर्णनम्, जिनशतकमहाकाव्य, નેમિનાથસ્તવન-વિમલકીર્તિ (નાના છંદોમય) ૪ જિનસ્તુતિ-ધુરન્ધરવિ. અનુસન્ધાન ૨૩. ૧. આના પરિચય માટે જુઓ પૃ. ૨૧૧-૨૧૨ ૨. જુઓ ઉપર્યુક્ત હિન્દી પ્રસ્તાવના (પૃ. ૯૩-૯૪) ૩. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઇ.સ. ૧૯૧૧માં પ્રસિદ્ધ કરાઈ છે. [આ. મુનિચન્દ્રસૂરિ દ્વારા વિવિધ હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કરવાપૂર્વક સંશોધિત-સંપાદિત આ કથારત્નાકરનું પ્રકાશન આ. ૐકારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલી સૂરત દ્વારા પુસ્તકાકાર થયું છે. પ્રો. હરિવલ્લભ ભાયાણીની અંગ્રેજીમાં પ્રસ્તાવના પણ આમાં છે.] ૪. જુઓ પૃ. ૨૨ ૫. આ અનુવાદ ઇ. સ. ૧૯૨૦માં Meistewerke orientlischer Literatur (485)માં Munchenથી છપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy