SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ P ૧૬૮ P ૧૬૯ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩ ૧૦૨, ૯૦, ૮૨, ૧૬૦, ૭૬, ૬૫, ૧૨૮, ૧૩૧, ૧૮૮, ૮૮, ૧૦૩, ૮૯, ૨૨૫ અને ૫૨ (૪૬+૬) આમ એકંદર ૧૫૭૯ પદ્યો છે. વિષય– પ્રથમ સર્ગમાં પાંચ ચર્થક પદ્યો છે કે જે જૈન તીર્થંકરો અને અજૈન દેવો એમ બંને પક્ષમાં ઘટે છે. વિસ્તારથી કહું તો દ્વિતીય પદ્યમાં નાભિભૂ એટલે કે બ્રહ્મા અને ઋષભદેવની, તૃતીય પદ્યમાં પુરુષોત્તમ અર્થાત્ વિષ્ણુ અને પાર્શ્વનાથની, ચતુર્થ પદ્યમાં શંકર અને મહાવીરસ્વામીની, પાંચમાં પદ્યમાં ભાસ્વત્ યાને સૂર્ય અને શાન્તિનાથની તેમ જ છઠ્ઠા પદ્યમાં સમુદ્રજન્મ અર્થાત્ ચન્દ્ર અને નેમિનાથની સ્તુતિ કરાઈ છે. પહેલા બાર સર્ગમાં હમ્મીરના નિમ્નલિખિત પૂર્વજોનું પૂર્વવર્તી નૃપતિઓનું વર્ણન છેઃ– ૧૦૪ ૧. ચાહમાન ૨. વાસુદેવ ૩. નરદેવ ૪. ચન્દ્રરાજ ૫. જયપાલ ૬. જયરાજ ૭. સામન્તસિંહ ૮. ગુયક ૯. નન્દન ૧૦. વપ્રરાજ ૧૧. હિરરાજ ૧૨.સિંહરાજ ૧૩. ભીમ ૧૪. વિગ્રહરાજ ૧૫. ગંગદેવ ૧૬. વલ્લભરાજ Jain Education International ૧૭. રામ ૧૮. ચામુંડરાજ ૧૯. દુર્લભરાજ ૨૦. દુશલ ૨૧. વિશ્વલ ૨૨. પૃથ્વીરાજ પહેલો ૨૩. અણ ૨૪. અનલ ૨૫. જગદેવ ૨૬. વિસલ ૨૭. જયપાલ ૨૮. ગંગપાલ ૨૯. સોમેશ્વર ૩૦. પૃથ્વીરાજ બીજો ૩૧. હિરરાજ ૩૨. ગોવિન્દ ૩૩. બાલ્હણ ૩૪. પ્રહ્લાદ ૩૫. વી૨નારાયણ સર્ગ ૩માં પૃથ્વીરાજના યુદ્ધનું, સ. ૫-૭માં વસન્તાદિ ઋતુઓ અને જલક્રીડાનું` તથા સ. ૮માં પ્રભાતનું વર્ણન છે. સ. ૯.માં હમ્મીરના દિગ્-વિજયનો વૃત્તાન્ત છે. સ. ૧૦માં ભોજદેવ સાથેનો સંવાદ અને સ. ૧૧માં અલાઉદીનનો પ્રકોપ અને યવનવીરનું વર્ણન એ બાબતો રજૂ કરાઈ છે. સ. ૧૩માં નર્તકીનું અને વર્ષાકાળનું વર્ણન, રતિપાલનો અધિકાર, હમ્મીરને એની પુત્રી દેવલદેવીએ કરાવેલું માર્ગદર્શન તેમ જ હમ્મીરનું અવસાન એમ વિવિધ બીનાઓને સ્થાન અપાયું છે. સ. ૧૪ના ઉત્તરાર્ધમાં કર્તાએ પોતાની ગુરુપરંપરાનો અને આ કાવ્ય રચવાના પ્રયોજનનો નિર્દેશ કર્યો છે. ૩૬. વાગ્ભટ ૩૭. જૈત્રસિંહ આ મહાકાવ્યનો નાયક ‘રણથંભોરનો હમ્મીર ચૌહાણ છે. એના પિતાનું નામ ચૈત્રસિંહ છે. અલ્લાઉદ્દીન પોતે ગાદીએ આવ્યાને ત્રીજું વર્ષ થતાં એક અમીરનું અપમાન કર્યું. એ અમીર આ હમ્મીરને શરણે ગયો. અને પાછો સોંપવા અલ્લાઉદ્દીને હમ્મીરને કહ્યું પણ એણે ના પાડી. આથી અલ્લાઉદિને એની સામે લડાઈ કરી. યુદ્ધમાં હમ્મીર મરાતાં એના કુટુંબની સ્ત્રીઓ એની પાછળ સતી થઈ. For Personal & Private Use Only ૧. પૃ. ૫૭ ઇત્યાદિમાં શૃંગા૨વર્ણન છે. ૨. આનો કિલ્લો ભારતના મજબૂત કિલ્લાઓમાંનો એક ગણાતો હતો. ૩. આ વીરતાભરી રાજસ્થાનની બિરુદાવલી નીલકંઠ જનાર્દન કીર્તન ઇ. સ. ૧૮૭૯માં છપાવી છે. www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy