SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો ઃ પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૪૭-૧૫૦] 'ત્રિપુરાભારતી-લઘુસ્ત‘વની ટીકા વિ. સં. ૧૩૯૭ વિ. સં. ૧૩૮૯ વીરકલ્પ શીલતરંગિણી *ષદર્શનસમુચ્ચયની લઘુવૃત્તિ આ સોમતિલકસૂરિ સંઘ તિલકસૂરિના પટ્ટધર દેવેન્દ્રસૂરિના જ્યેષ્ઠ ગુરુબન્ધુ થાય છે. જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૩૨)માં કુમારપાલપ્રબન્ધનો રચના-વર્ષ પ્રશ્નપૂર્વક વિ. સ. ૧૪૨૪નો અને પૃ. ૪૪૦માં પ્રશ્ન વિના એ વર્ષનો ઉલ્લેખ છે જ્યારે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૩)માં કુમારપાલપ્રતિબોધચરિત વિ. સં. ૧૪૨૪માં રચાયાનો ઉલ્લેખ છે. આમ આ બે કૃતિ તેમ જ કુમારપાલપ્રબોધપ્રબન્ધ નામની કૃતિ એ ત્રણ ભિન્ન નહિ પણ એક જ હોય એમ જણાય છે. ૯૩ વિ. સં. ૧૩૯૨ વિ. સં. ૧૩૮૧ *કુમારપાલપ્રબોધપ્રબન્ધ (ઉ. વિ. સં. ૧૪૬૪)–આ અજ્ઞાતકર્તૃક પ્રબન્ધનો કેટલોક ભાગ ગદ્યમાં તો કેટલોક પદ્યમાં છે. એમાં ૫૫૧ પદ્યો છે તે મોટે ભાગે પુરોગામીઓની કૃતિઓમાંથી ઉદ્ધૃત કરાયેલાં છે. ગદ્યાત્મક લખાણમાં સંગ્રહકારનો થોડોક હિસ્સો હશે એમ લાગે છે. જિનમંડનગણિએ આ પ્રબન્ધના આધારે કુમારપાલપ્રબન્ધ રચ્યાનું જિનવિજયજીએ સૂચવ્યું છે. પ્રસ્તુત કૃતિના ત્રીજા પદ્યમાં કહ્યું છે કે મનમાં પરા, હૃદયમાં પશ્યન્તી, કંઠમાં મધ્યમા અને મુખમાં વૈખરી એમ જે કહ્યું છે તે ભારતીની અમે ઉપાસના કરીએ છીએ. આ પછીનું પદ્ય ‘‘અજ્ઞાનતિમિરાન્ધાનાં’'થી શરૂ થતું અને સુપ્રસિદ્ધ–પ્રચલિત પદ્ય છે. આ કૃતિનો પ્રારંભ આદિદેવના નામોલ્લેખાદિથી કરાયો છે. ત્યાર બાદ એમાં ‘ચાપોત્કટ' (ચાવડા) વંશનું વર્ણન છે. પૃ. ૭૭-૮૫માં જીવાદિ નવ તત્ત્વોનું સ્વરૂપ મુખ્યતયા જ.મ.માં આલેખાયું છે. ૧. આ ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા''માં છપાવાયો છે. આ નામ જિન-વિજયજીએ આપ્યું છે. ૨.જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૩૨)માં તેમજ જિ. ૨. કો (વિ., પૃ. ૩૬૦)માં આને લઘુસ્તવ કહેલ છે. વિશેષમાં જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૩૬)માં આની ટીકાનું નામ ‘જ્ઞાનદીપિકા’ અપાયું છે. [આનું સંપાદન મુનિ વૈરાગ્યરતિએ કર્યું છે. હિન્દી અનુવાદ અને પંજિકા સાથે ‘‘પ્રવચન પ્રકાશન” પુનાથી પ્રસિદ્ધ થયું છે.] ૩.જુઓ જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૩૨). [શીલતરંગિણી પ્રકા. તપગચ્છ સમાજ, વિ.સં. ૨૦૪૯] ૪. આને જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૩૨).માં ષગ્દર્શનસૂત્ર કહેલ છે. Jain Education International ૫. કુમારપ!લચરિત્રસંગ્રહના કિંચિત્ પ્રાસ્તાવિક (પૃ. ૩)માં જિનવિજયજીએ પ્રસ્તુત સોમતિલકસૂરિની કૃતિ તરીકે સમ્યક્ત્વસઋતિકાવૃત્તિનો જે ઉલ્લેખ કર્યો છે તે વિચારણીય જણાય છે. સંઘતિલકસૂરિને બદલે આ નામ સૂચવાયું હોય એમ લાગે છે. For Personal & Private Use Only ૬. આ કૃતિ કુમારપાલચરિત્રસંગ્રહ (પૃ. ૩૫-૧૧૧)માં છાવાયેલી છે. પૃ. ૮૯, ૯૧, ૯૩ અને ૯૫માં ‘શ્રીસોમતિનસૂરિવિરચિતં' શીર્ષક છપાયું છે તે ભૂલ છે. 44 ૭. આવી એક કૃતિ તે અજ્ઞાતકર્તૃક પ્રાચીન સંક્ષિપ્ત કુમારપાલદેવચરત (જુઓ પૃ. ૧૪૨) છે. ૮. જુઓ કુમારપાલચરિત્રસંગ્રહનું ‘‘કિંચિત્ પ્રાસ્તાવિક’ (પૃ. ૫). P. ૧૫૦ www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy