________________
૯ દરેક તપમાં બતાવેલું ગણ ૨૦ નવકારવાળી પ્રમાણ ગણવું. ૧૦ તપમાં બતાવેલી સંખ્યા પ્રમાણે ખમાસમણ દેવાં. ૧૧ તપમાં બતાવેલ સંખ્યા પ્રમાણે લેગસ્સને કાઉસ્સગ કરે, ૧૨ જ્યાં જ્યાં ગુપૂજા કહી હોય ત્યાં ત્યાં ગુરુ પાસે સ્વરિતક
કરી તે ઉપર યથાશક્તિ દ્રવ્ય મૂકવું, અને ગુરુમહારાજને
વંદન કરી તેમને વાસક્ષેપ લે. ૧૩ તપશ્ચર્યાને દિવસે સ્વાધ્યાય વિશેષ પ્રકારે કરે. ૧૪ બ્રહ્મચર્ય પાળવું અને ભૂમિશયન કરવું. ૧૫ સાધુ-સાધ્વી મહારાજેની વિવિધ પ્રકારે વૈયાવચ્ચ કરવી. ૧૬ તપને પારણે યથાશક્તિ સ્વામિવચ્છલ કરવું, વધારે ન
બને તે સમાન તપ કરનારા શ્રાવક-શ્રાવિકાને યથાશકિત
બેન્ચારને જમાડવા. ૧૭ મોટા-મોટા તપને અંતે યા મધ્યમાં તેનું મહત્સવ પૂર્વક
ઉજમણું કરવું, સામાન્ય તપમાં લખ્યા પ્રમાણે ઉઘાપન
ઉજમણું કરવું. ૧૮ દરેક તપમાં જે પાણી વાપરવાનું હોય તે તે અચિત્ત
પાણી જ સમજવું. ૧૯ રાત્રીએ તે દરેક તપમાં ચૌવિહાર જ સમજ. ૨૦ કઈ પણ તપ સાંસારિક ફળની ઈચ્છાથી ન કરે. ૨૧ કષાયને જેમ બને તેમ વિશેષ રોધ કરે, ક્ષમાયુકત
અને સમતાભ જે તપ કરવામાં આવે તે જ ફળદાયક બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org