________________
[ ૭૦ ] * * તપાવલિ નિરંતર બત્રીશ આયંબિલ કરવાથી પૂર્ણ થાય છે. શક્તિ ન હેય તે એકાંતરિત પારણુવાળાં આયંબિલ કરવાં. ઉઘાપને મોટી સ્નાત્રવિધિપૂર્વક બત્રીશ પકવાન્ન, ફળ વિગેરે ઢાંકવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી ઉત્તર કાળમાં શુભ થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણુણું “નમો અરિહંતાણું” પદનું ગણવું સાથીયા વિગેરે બાર–બાર કરવા.
પર, અક્ષયનીધિ ત૫.
આ તપ અક્ષયનીધિ ( અખૂટ ભંડાર ) ની જે હવાથી તેનું નામ અક્ષયનીધિ તપ છે. તે શ્રાવણ વદ ચેથને દિવસે શરૂ કરો. તે દિવસે જિનેશ્વરની પ્રતિમા આગળ ગાયના છાણથી ભૂમિ લીંપીને તે ઉપર ગલી કરી તેના પર કુંભ સ્થાપન કરે. (તે કુંભ સુવર્ણને, રૂપાને કે અન્ય ઉત્તમ ધાતુને અથવા છેવટે માટીને લે.) તે કુંભ વિચિત્ર પ્રકારના ગંધ, પુષ્પથી પૂજો તથા તેમાં સુવર્ણ, મણિ, મુક્તાફળ, સેપારી વિગેરે નાંખીને તેનું સ્થાપન કરવું, પછી પંદર દિવસ સુધી તેનું નિત્ય પૂજન કરવું. જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને ઘટમાં અક્ષતની અંજલી દરરોજ નાંખવી. (તે અંજલીમાં સેનાનાણું, સેપારી વિગેરે લેવું) કુંભ પાસે નૈવેદ્ય ઢેકવું. દરરોજ શકિત પ્રમાણે એકાસણું અથવા બેસણું કરવું. હંમેશાં કુંભ પાસે નૃત્ય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org