________________
[ ૧૮ ] * * તપાવલિ * * * સણું, ત્રીજે વર્ષે નવી, ચોથે વર્ષે આયંબિલ અને પાંચમે વર્ષે ઉપવાસ કરવા. એ પ્રમાણે પાંચ વર્ષ પૂર્ણ થાય છે. ઉઘાપન લઘુ પંચમીની જેમ કરવું. (જુઓ તપ નં. ૩૫) તેમાં સવે વસ્તુ પચીશ-પચીશ ઢોકવી. આ તપનું ફળ મહાજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
અથવા આ તપ પાંચ વર્ષ અને પાંચ માસની દરેક અજવાળી પાંચમે ઉપવાસ અથવા એકાસણું કરવાથી પણ થાય છે. ગણું વિગેરે લઘુ પંચમીની જેમ જાણવું.
એક પ્રાચીન પ્રતિમાં લખેલ છે, જે ગાદિ કારણે પછવાડેથી પણ તપ પૂર્ણ કરાય છે અને ઉદ્યાપન આધમાં મધ્યમાં કે અન્ય જ્યારે અવસર મળે ત્યારે યથાશક્તિએ કરવાનું છે, તેમાં પાંચ પુસ્તક લખાવવા વિગેરે કરવાનું છે.
આ તપ ઉત્કૃષ્ટથી આવી રીતે પણ કરવામાં આવે છે–દરેક શુકલ પંચમીને ઉપવાસ જાવજછવ કરે. પાંચ વરસ પછી ઉદ્યાપન વિગેરે કરવું. ગણણું નં. ૩૫ ના તપ પ્રમાણે જાણવું.
૩૭, ચતુર્વિધ સંઘ ત૫. ચતુર્વિધ સંઘની આરાધના માટે આ તપ છે, તેમાં પ્રથમ એક છદ્ર કરી પારણું કરવું, પછી એકાંતર સાઠ ઉપવાસ કરવા. એ રીતે કરવાથી આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં સંઘવાત્સલ્ય અને સંઘપૂજા કરવી. આ તપનું ફળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org