________________
[ ૫૬ ] * * તપાવલિ * * * પછી પાંચ માસની શુકલ પંચમીએ આયંબિલ કરવા, પછી પાંચ માસની શુક્લ પંચમીએ ઉપવાસ કરવા. એ પ્રમાણે, પચીશ માસે તે તપ પૂર્ણ થાય છે. કેઈ ગચ્છમાં પચીસે માસની દરેક પંચમીએ જેવી રીતે આરંભ કર્યો હોય એટલે કે બેસણું કે એકાસણું કે નવી વિગેરે જે તપ વડે આરંભ કર્યો હોય તેજ તપ કરવાની પદ્ધતિ છે. , અથવા આ તપ ઉપર પ્રમાણે શુકલ પંચમીએ આરંભ કરી શુકલ તથા કૃષ્ણ એમ બને પંચમી લઈ પચીશ પંચમીએ એટલે એક વર્ષ પૂર્ણ કરવામાં આવે છે. (નં. અ.),
અથવા ઉપર પ્રમાણે શુકલ પંચમીએ આરંભા શુકલ તથા કૃષ્ણ એમ બન્ને પંચમી લઈ પાંચ પંચમીએ આ તપ પૂરે કરવામાં આવે છે. તેમાં ઉદ્યાપને પકવાન્ન, ફળ, વિગેરે તથા જ્ઞાનના ઉપકરણ પાંચ-પાંચ ઢેકવા. (નં. ગ)
અથવા શુકલ પંચમીએ શરૂ કરી દરેક પંચમીએ ઉપવાસ કરે. એ રીતે પચીશ પંચમીએ એટલે એક વર્ષે તપ પૂર્ણ કર. (પં. બુ)
ઉદ્યાપનમાં જિનપ્રતિમાની મોટી સ્નાત્રવિધિપૂર્વક પૂજા કરવી. પાંચ-પાચ વિવિધ પ્રકારના પકવાન્ન ફળ, રૂપાનાણું વિગેરે ઢેકવાં તથા અંગ, ઉપાંગ અથવા નાની પિથી પાંચ લખાવી સાધુને વહરાવવી. તેના અભાવે સંઘના ભંડારમાં મૂકવી. પુસ્તક (જ્ઞાન)ની આગળ સાપડા, પાટી, રૂમાલ, દેરી, પીંછી, નવકારવાળી, વાસક્ષેમને વાટે અથવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org