SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮ ] * * તપાવલિ ૨૪, પુંડરિક તપ | ( ચિત્રી પુનમ તપ. ) પુંડરીક એટલે શ્રી કષભદેવના પહેલા ગણધરની આરાધના માટે આ તપ છે, તેથી પુંડરિક તપ કહેવાય છે. તે ગણધર ચેરી પુર્ણિમાને રેજ સિદ્ધાચળ પર સિદ્ધિપદ પામ્યા છે તેથી તે દિવસે શ્રી પુંડરિક સ્વામીની પ્રતિમાની પૂજા કરવી. તથા શકિત પ્રમાણે ઉપવાસ, એકાસણાદિક તપ કરે, કસુંબી રંગવાળા વસ્ત્રથી પૂજા કરવી, કસુંબી રંગની પીળ કરવી, નેત્રોજન કરવું, હરિદ્વા રાગે કરીને પણ પૂજા કરવી. ત્યારપછી દરેક પૂર્ણિમાએ તે પ્રમાણે તપ તથા પૂજા કરવી એ પ્રમાણે સાત વર્ષ અથવા એક વર્ષ સુધી કરવું. અથવા બાર વર્ષની બાર ચૈત્રી પૂર્ણિમા જ કરવી. ( પંદર વરસ કરવાનું પણ બાર માસિક પર્વ કથામાં કહ્યું છે.) ઉદ્યાપનમાં સ્ત્રીએ નણંદની દીકરીને તથા પુરૂષે બેનની દીકરીને ઘણું માંડાનું ભજન કરાવી હરિદ્વા રાગ, કસુંબી વસ્ત્રને જેટે, તાંબૂલ, કંકણુ નૂપુર વિગેરે આપવું. સાધુસાધ્વીઓને રજોહરણ, મુખવસ્ત્રિકા, વસ્ત્ર-પાત્ર વિગેરેનું દાન દેવું. તથા ઘણું માંડા વહેરાવવા. તેમ જ શ્રાવકના સાત ઘરે ઘણા માંડા દેવા. આ તપ કરવાથી મેક્ષની પ્રાપ્તિ થાય છે. યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. શ્રી પુંડરિક ગણુધરાય નમઃ ” નવકારવાળી વીશ, સાથીયા વિગેરે દેશે કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy