SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૭૦ ] * તપાવલિ આઠ ઉપવાસ કરવા. તેણે કરીને કાલિકાની નીચે દાડિમપુષ્પ ઉત્પન્ન થાય છે. ત્યારપછી એક ઉપવાસ ઉપર એક પારણું, પછી એ ઉપવાસ ઉપર એક પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર એક પારણું, એ રીતે ચડતાં-ચડતાં સોળ ઉપવાસ ઉપર એક પારણું કરવાથી હારની એક સેર પૂરી થાય છે. ત્યારપછી ચાત્રીસ ઉપવાસ એકાંતર પારણાવર્ડ કરવાથી તે હારનું પત્રક થાય છે. ત્યારપછી વિલામના ક્રમથી એટલે સેાળ ઉપવાસ ઉપર એક પારણું, પંદર ઉપવાસ ઉપર એક પારણું, ચૌદ ઉપવાસ ઉપર એક પારણુ’, એમ ઉતરતાં-ઉતરતાં છેવટ એક ઉપવાસ ઉપર એક પારણુ કરવાથી બીજી સેર પૂરી થાય છે. પછી પારણાના આંતરાવાળા આઠ ઉપવાસ કરવાથી ખીજા દાડમના પુષ્પ ઉત્પન્ન થાય છે. ત્યારપછી ત્રણ ઉપવાસ ઉપર એક પારણું, પછી એ ઉપવાસ ઉપર એક પારણું, અને છેવટે એક ઉપવાસ ઉપર પારણું એ રીતે કરવાથી ખીજી કાહેલિકા પૂર્ણ થાય છે. આમ કરવાથી કુલ ૩૩૪ ઉપવાસ અને ૮૮ પારણા થાય છે. ઉદ્યાપનમાં બૃહસ્નાત્રપૂર્વક વિધિથી પૂજા કરીને પ્રતિમાને મેાટા મુક્તાફળના એક સેરના હાર ૧પહેરાવવે. સધવાત્સલ્ય, સંઘપૂજા, ગુરુપૂજા વિગેરે કરવુ. આ તપ કરવાથી નિળ ગુણુની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. * ૧ તથા સુવણૅ અક્ષરમય પુસ્તક લખાવી સુવિહિત મુનિને આપવું. તેવા જોગ ન હોય તો શ્રી સંધના ભંડારમાં મૂકવું, પણ પે:તાની નિશ્રાએ ન રાખવુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy