________________
[ ૧૬૮ ] * * તપાવલિ * * * કરવું તથા તે પાંચ દિવસમાં પ્રભાતે સૂર્યોદય પહેલાં સ્નાનપૂર્વક સારા ભાગ્યવાળી સુવાસિની સ્ત્રીનું મુખમંડન તથા ઉદ્વર્તન કરવું. પછી પોતે પણ પવિત્ર સુંદર વચ્ચે અથવા કસુંબી વસ્ત્રનું યુગલ પહેરીને તથા સંપત્તિ પ્રમાણે અલંકારે પહેરીને અખંડ અક્ષતની અંજલી ભરીને તે ઉપર એક જાતિફળ (જાયફળ) મૂકી મંગલાચ્ચારપૂર્વક ચેત્યને પ્રદક્ષિણા કરીને તે અંજલી જિનેશ્વર પાસે મૂકવી, પછી બીજી પ્રદક્ષિણમાં શ્રીફળ મૂકવું. ત્રીજી પ્રદક્ષિણમાં ડીંટ તથા પણ સહિત બીજેરૂં અક્ષતની અંજલી ઉપર મૂકવું. તથા ચેથી પ્રદક્ષિણામાં અક્ષતની અંજલી ઉપર સોપારી મૂકી પ્રદક્ષિણ કરીને અંજલી દેવ પાસે મૂકવી. પછી સાત ધાન્ય, લવણ, એકસ-આઠ હાથ વસ્ત્ર, એક-આઠ રાતી ચણેઠી, તથા કસુંબી વસ્ત્ર દેવ પાસે મૂકવું. આ પ્રમાણે ચાર વર્ષ સુધી કરવું. ઉદ્યાપનને વિષે એકસ-આઠ પૂર્ણ કુંભ દીવા સહિત દેવ પાસે ઢાંકવા. તથા એક રૂપાને દી સુવર્ણની વાટસહિત ઢોક. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી નિર્મળ ગુણની પ્રાપ્તિ થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે.
માણિકય પ્રસ્તારિકા તપસે નમઃ” નવકારવાળી વીશ, સાથીયા વિગેરે બાર-બાર કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org