________________
* * * ભત્તર તપ * * [ ૧૬૩ ]
પ્રથમ શ્રેણિમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત ઉપવાસ અનુક્રમે આંતરરહિત પારણાવાળા કરવા. બીજી શ્રેણિમાં ચાર, પાંચ, છ, સાત, એક, બે અને ત્રણ ઉપવાસ આંતરરહિત પારણાવાળા કરવા. ત્રીજી શ્રેણિમાં સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ ઉપવાસ એ જ રીતે કરવા. ચેથી શ્રેણિમાં વણ, ચાર, પાંચ, છ, સાત, એક અને બે, એ પ્રમાણે પૂર્વની જેમ ઉપવાસ કરવા. પાંચમી શ્રેણિમાં છે, સાત, એક, બે, ત્રણ, ચાર અને પાંચ એ પ્રમાણે કરવા. છઠ્ઠી શ્રેણિમાં બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને એક એ પ્રમાણે ઉપવાસ કરવા. સાતમી શ્રેણિમાં પાંચ, છ, સાત, એક, બે, ત્રણ અને ચાર એ પ્રમાણે આંતરરહિત પારણાવાળા ઉપવાસ અનુક્રમે કરવા. આ રીતે આ તપમાં ઉપવાસના દિવસ ૧૯૬ તથા પારણાના દિવસ ૪૯ થાય સર્વ મળીને ૨૪૫ દિવસે આ તપ પૂર્ણ થાય છે.
ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક પૂજા ભણાવવી. યથાશક્તિ ફળ, નૈવેદ્ય, ભેદક વિગેરે ઢોકવા. ગુપૂજા, સંઘપૂજા વિગેરે કરવું. આ તપનું ફળ સર્વ વિધનને નાશ તથા પુણ્યની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણણું વિગેરે ભદ્રતા પ્રમાણે ગણવું. (જુઓ તપ નંબર ૧૪૩).
૧૪૫, ભદ્રોત્તર તપ. ભદ્ર એટલે કલ્યાણ કરીને ઉત્તર એટલે ઉત્તમ હોવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org