________________
ઇંદ્રિયજય ત૫
પુરિમઢ, એકાસણું, નવી, આયંબિલ અને ઉપવાસ એ પ્રમાણે પાંચ દિવસ કરવાથી એક ઇંદ્રિયજયને તપ થયે. એ રીતે પાંચ ઇંદ્રિઓના જય માટે પાંચ ઓળી કરવાથી પચીશ દિવસે આ તપ પૂરો થાય છે. તપશ્ચર્યાના દિવસે માં ભૂમિપર શયન કરવું, બ્રહ્મચર્ય પાળવું. ઉઘાપનમાં જિનેશ્વર પાસે અથવા જ્ઞાનની પાસે પૂજાપૂર્વક પચીસ-પચીશ પકવાન (માદક), ફળ વિગેરે ઢોકવાં, તથા તેટલી સંખ્યાવાળા માદક વગેરે સાધુઓને વહેરાવવા. સંઘવાત્સલ્ય વિગેરે કરવું. આ તપ કરવાથી દુષ્ટ ઇંદ્રિયની અશુભ પ્રવૃત્તિ થતી નથી. આ સાધુ તથા શ્રાવક બન્નેને કરવાને તપ છે. ગણણું વિગેરે નીચે પ્રમાણે,
સા. પ્ર. લે. ન. પહેલી એળી-સ્પર્શનેંદ્રિય જયતપસે નમઃ ૮ ૮ ૮ ૨૦ બીજી એળી–રસનેંદ્રિય જયતપસે નમઃ ૫ ૫ ૫ ૨૦ ત્રીજી એળી-ધ્રાણેન્દ્રિય જયતપસે નમ: ૨ ૨ ૨ ૨૦ ચોથી ઓળી–ચક્ષુરિંદ્રિય જયતપસે નમઃ ૫ ૫ ૫ ૨૦ પાંચમી ઓળી–પ્રોગ્રંદ્રિય જયતપસે નમઃ ૩૩ ૩ ૨૦
અથવા “ઇંદ્રિયજયાય નમઃ” એ રીતે પાંચ ઓળીમાં ગણવું. તથા સાથીયા, ખમાસમણ અને કાઉસગ્ગ પાંચ-પાંચ કરવા. નવકારવાળી વીશ ગણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org