________________
શ્રી મંગલકલશ રાસમાલા
૧૨) રૂપવિજ્યજી કૃત મંગલલશ રાસ
આ કૃતિની એક જ પ્રત બી.એલ. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજી- દિલ્હીથી પ્રાપ્ત થઈ છે.
પ્રત ક્રમાંક BLI Acc (MSS) -B/o 964, DL00000 148228 છે. કુલ પત્ર૨૫, પ્રતિ પત્ર પંક્તિ ૧૪થી ૧૬, પ્રતિ પંક્તિ અક્ષરો ૩૪થી ૪૦ છે.
અક્ષરો છૂટા-છૂટા અને સુંદર છે. આખી પ્રતમાં દંડ નથી. કડી ક્રમાંક દેશી/ઢાળના નામ આદિ પર લાલ રંગ કરેલો છે. પ્રતની ધ્યાનાર્હ વિશેષતા એ છે કે ‘અ’ ને બદલે ‘s’ (અવગ્રહ) તથા ‘આ’ ને બદલે ‘ડા’ (અવગ્રહ + દંડ) વાપર્યા છે.
પ્રતની શરૂઆત ‘શ્રી ગૌડીની સત્ય छेः ।। श्री सारदाय नमः || मंगलकलशनो रास શિષ્યો છેઃ।।' આ રીતે થઈ છે. અને કૃતિ પૂર્ણ
Jain Education International
થતાં પુષ્પિકા રૂપે માત્ર એટલો જ ઉલ્લેખ કરેલો છે કે- ‘વૃત્તિ શ્રી માલલશ રાનર્વિ પત્રિ प्राकृतबंधे रचना करिष्यतेः । श्रावण वदि ७ રવિવારે શં ૧૮૮૬ આ પુષ્પિકા પ્રમાણે પ્રત લેખન સં. ૧૮૮૫, શ્રાવણ વદ-૭, રવિવારે થયેલું છે. રાસ રચનાનો દિવસ પણ કવિશ્રી રૂપવિજયજીએ એ જ આપ્યો છે. માટે, આ પ્રત રૂપવિજયજીએ પોતે જ લખી હોય એવું જણાય
છે.
79
પુષ્પિકા બાદ પાછળથી કોઈ એ ‘ઋષિ શ્રી ૭ સામનીના છે.' એવું લખ્યું છે અને ત્યાર બાદ જૂદા અક્ષરોમાં પ્રત સંગ્રાહકે લખેલું છે- 'પૂન્ય વિજ નિત્યાનંવિનયે संग्रहितस्य विक्रमसंवतस्य २०४३ स्थापितस्य श्री समुद्रानेकान्तनाम्नि चित्कोशस्यांतर्गतेयं પ્રતિથિરું નંવતાત્ ।। શ્રી ।।’
For Personal & Private Use Only
ક
www.jainelibrary.org