________________
જે ભૂમિકા
ગુજરાતી ભાષાનું લોકબોલી અસ્તિત્વ ૧૨મી સદીથી પણ ત્રણ સદી પૂર્વે છે. આ ભાષાની જૂનામાં જૂની કૃતિઓ “સંદેશ રાસક, ભરતેશ્વર બાહુબલી ઘોર, ભરતેશ્વર બાહુબલી રાસ (૨. સં. ૧૨૪૧) વગેરે છે.
* ત્યારબાદ વિક્રમની ૧૫મી સદીના અંતથી ૧૭મી સદી સુધીની ગુજરાતી ભાષા મધ્યકાલીન ગુજરાતી કે મારુ ગુર્જર કહેવાય છે. આ મધ્યકાળમાં રચાયેલું વિશાળકાય ગુર્જર સાહિત્ય એ સમસ્ત જગતના સાહિત્ય નિર્માણ કરતા આગળ છે. આ મધ્યકાલીન ગુજરાતી ભાષાના સાહિત્ય નિર્માણમાં લગભગ ૭૫ ટકા જેટલો ઘણો મોટો ફાળો જૈનોનો છે. એ વૈભવનો (અનુક્રમણિકા સ્વરૂપે) મોટા ભાગનો સંગ્રહ જેન ગૂર્જર કવિઓ (ભા. ૧થી ૬)માં મોહનલાલ દેશાઈએ કર્યો છે.
જ આ મધ્યકાલીન ગુર્જર સાહિત્ય પ્રાયઃ હેતુલક્ષી સાહિત્ય છે. તેમાં ભક્તિ, ધર્મબોધ, સાંપ્રદાયિક મહિમા ગાન, ચરિત્ર નિરૂપણ, ઇતિહાસ કથન આદિ હેતુઓ સમાયેલા છે. તેમ છતાં આ સાહિત્યમાંથી ભાષાભિવ્યક્તિ, રૂઢી પ્રયોગો, વાકછટાઓ, મનોભાવો, તત્કાલીન લૌકિક વ્યવહારો, તે તે કાળની સંસ્કૃતિ, રાજ્ય વ્યવસ્થા, જીવનના મૂલ્યાંકનો વગેરે અનેકવિધ મૂલ્યવાન સામગ્રીઓ મળી આવે છે. ઘણીવાર તો ચરિત્રાત્મક રાસ વગેરેમાંથી પણ અત્યંત મૂલ્યવાન ઐતિહાસિક માહિતી મળે છે. કવિ ઋષભદાસજી કૃત “હીરવિજયસૂરિ રાસ' જેનું એક ઉદાહરણ છે. તેમાં મોગલકાળનો કેટલોક ઈતિહાસ સંગ્રહાયેલો છે.
જ મધ્યકાલીન જૈન ગુર્જર સાહિત્યના કાવ્ય પ્રકારો તરફ દ્રષ્ટિપાત કરીએ તો સંખ્યાબંધ પ્રકારો પ્રાપ્ત થાય છે. જેવા કે-રાસ, ભાસ, ચોપાઈ, ચચ્ચરી, ચંદ્રાયણા, ચૈત્ય પરીપાટી, કળખો, કવિત્ત, કલ્પ, કુલક, કુંડળીયા, બારમાસ, નવરસ, રાગમાલા, ફાગ, છપ્પા, છંદ, તરંગ, વેલી, વિવાહલો, વિલાસ, ગહલી, ગીત, ગીતા, ગરબા, ગરબી, ગઝલ, ખ્યાલ, ઝીલણા, લાવણી, હરીયાળી, હુંડી, હોરી, ધમાલ, ધોળ, આખ્યાન, સંધી, સંબંધ, પ્રબંધ, પદ, પ્રભાતિયા, પૂજા, ટીપ, ઢાળીયા, ચોક, સલોકો, ચૈત્યવંદન, સ્તુતિ, સ્તોત્ર, સ્તવ, સ્તવન, સન્ઝા વગેરે... આ વૈવિધ્ય એ ગુર્જર ભાષાનું વૈભવી ગૌરવ છે.
જ આ પ્રકારોમાં “રાસ” એ સૌથી વધુ લોકપ્રિય અને લોકપ્રચલિત કાવ્ય છે. “રાસ'નો સામાન્ય અર્થ ‘ગોળાકારે ફરતા-નૃત્ય કરતા ગવાતું કાવ્ય” એવો થાય. સામાન્ય રીતે રાસમાં તે-તે સમયની પ્રચલિત દેશી/ઢાળોમાં કોઈનું ચરિત્ર ગૂંથાયેલું હોય છે. ઉપદેશાત્મક ચરિત્ર સમૂહમાં ગાઈ શકાય અને તેના દ્વારા ઉપદેશ સરળતાથી સર્વ જન સુધી પહોંચે એ હેતુથી “રાસ'ની રચના થતી હોય છે.
૧. ઉઘોગવિજી કૃત વલયમાલા (ર.સં. ૮૩૫)માં “ગુર્જર દેશના વેપારી “નઉ રે ભલ્લઉ” (= આ ભલુ નથી) આ શબ્દ વધુ
બોલે છે' એવો ઉલ્લેખ છે. તથા – અપભ્રંશ (ગુજરાતીને મળતી) ભાષામાં કેટલાક પદ્યો પણ છે. એક ઉદાહરણ – કચ ભણઉ, સવ્વાહા ખલુ અસુઈ જઈસલે, તો સો વિ વરઉ કિં કુણ, અન્નાહો જિ કસ્સઈ વિયા; ખલો થઈ સઈ જે બહ વિયાર ભંગિ ભરિયલઉં. (૬.૯)
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org