________________
શ્રી મંગલકલશ રાસમાલા
અકાર્ય તારાથી અજાણતાં પણ સેવાઈ ન જાય!’
પિતા તરફથી ત્રૈલોક્યસુંદરીને જે સલાહ સાંભળવા મળી એ સલાહ સાંભળતા જ ત્રૈલોક્યસુંદરીની આંખોમાં આંસુ ધસી આવ્યા. ‘મારા શીલ અંગે પિતાજી આટલા ચિંતિત? મારી પવિત્રતાની રક્ષા માટે પિતાજીની આ કાળજી? મારી સાથે સિંહ સામંતને સૈન્ય સહિત મોકલવાની પિતાજીની આ દૂરંદેશિતા? આવા પિતાજીને પામીને સાચે જ હું તો ધન્ય બની ગઈ છું!'
ત્રૈલોક્યસુંદરીના મનમાં પિતાજી પ્રત્યે ગમે તેટલી કડવાશ વ્યાપેલી હશે પણ એ કડવાશ પિતાજી સાથેની આ અલ્પ સમયની મુલાકાતમાં ખતમ થઈ ગઈ છે. પિતાજી પ્રત્યે એના મનમાં ભારોભાર આદરભાવ ઊભો થઈ ગયો છે. પિતાજીને એણે એટલું જ કહ્યું,
‘કુળને કલંક લાગે એવું એક પણ અકાર્ય તો મારાથી નહીં જ સેવાય પરંતુ કુળનું ગૌરવ વધી જાય એવું ભવ્ય પરાક્રમ હું કરીને જ રહીશ એની આપ શ્રદ્ધા રાખજો.’
‘રાજ! એક સમાચાર છે’
ઉજ્જયિનીના રાજવી વૈરીસિંહ પોતાના આવાસમાં બેઠા છે અને એમની પાસે આવીને ઊભા રહી ગયેલા ગુપ્તચરે એમના કાને આ વાત નાખી છે.
Jain Education International
ઉજ્જયિની તરફ આવી રહ્યો છે.’
‘પ્રયોજન?’
‘ખબર નથી’
‘ક્યાં સુધી એ પહોંચ્યો છે?’
‘કદાચ બે-ચાર દિવસમાં અત્રે આવી
જાય’
121
કોઈ જોખમ તો નથી લાગતું ને?’
‘ના’
‘કોઈ બયંત્ર?’
‘ના’
‘તો એક કામ કરો. એનો આપણી નગરીમાં ભવ્ય સત્કારપૂર્વક પ્રવેશ કરાવો અને એનો ઉતારો મારા જ સદનમાં રાખો.’
‘તત્તિ (તેમ હો)....’ અને
પુરુષવેશમાં રહેલ ત્રૈલોક્યસુંદરીનો ઉજ્જયિની નગરીમાં સૈન્યસહિત દબદબાપૂર્વક પ્રવેશ થયો. વૈરિસિંહના ભવ્ય સદનમાં જ એને ઉતારો અપાયો. પ્રારંભિક વિધિ પતી ગયા બાદ વૈરિસિંહે ત્રૈલોક્યસુંદરીને પૂછ્યું,
‘આ નગરીમાં આવવાનું પ્રયોજન?’ ‘રાજ! આ નગરી અનેક આશ્ચર્યોને પોતાના ગર્ભમાં લઈને બેઠી છે એવું જ્યારથી મારા સાંભળવામાં આવ્યું છે ત્યારથી મનમાં કૂતુહલ જાગ્યું છે કે એકવાર તો એ નગરીને સગી આંખે નિહાળી જ લેવી છે. બસ, એ કૂતુહલને શમાવવા જ અહીં આવ્યો છું.’
‘શું છે?’
‘રાજપુત્ર! જેટલા પણ દિવસે તારે અહીં
‘વિશાળ સૈન્ય સાથે ચંપાપુરીનો રાજકુમાર રહેવાનું બને એટલા દિવસ તારે મારા સદનમાં
For Personal & Private Use Only
www.jainelibrary.org