________________
108
મંગલકલશ કથા
સીપ્રા નદીનું પીવામાં આવે.”
“સીખાનદીનું?”
હા” “ઉજ્જયિનીની સિપ્રાનદી?”
હા.”
“એ નગરીના પાણીમાં...”
કેવી વિશિષ્ટતા છે એ તો એ નગરીનું પાણી જેણે પીધું હોય એને જ ખ્યાલ આવે?”
મંગલકલશના મુખે ઉજ્જયિની નગરીનું નામ સાંભળતાવેંત સૈલોક્યસુંદરી વિચારમાં પડી ગઈ. મારો સંબંધ તો આ જ નગરીના મંત્રીપુત્ર સાથે થયો છે. આ નગરીનું નામ તો ચંપાપુરી છે જ્યારે આ ઉજ્જયિનીના પાણીના સ્વાદના વખાણ કરે છે. ઉજ્જયિનીનું પાણી આટલું બધું મીઠું છે એની ખબર એને ક્યાંથી? શું એને ઉજ્જયિની જવાનું બન્યું હશે? એ તો જનમથી ધરની યે બહાર નથી નીકળ્યો? શું એનું મોસાળ ઉજ્જયિનીમાં હશે? અથવા તો એણે શું કોકના મુખે ઉજ્જયિનીના પાણીનાં વખાણ સાંભળ્યા હશે? આવી ગડમથલમાં અટવાયેલી ત્રૈલોક્યસુંદરીએ મંગલકલશનું મોટું સાફ કરવા માટે જ્યાં પોતાના જ હાથે મંગલકલશને સુગંધસભર તાંબૂલ આપ્યું ત્યાં એ જ પળે દરવાજો ખોલીને એક માણસ સીધો અંદર આવી ગયો.
‘તું કોણ છે?' ત્રૈલોક્યસુંદરીએ પૂછી લીધું.
મંત્રીનો વિશ્વાસુ માણસ છું.”
અંદર કેમ આવ્યો?' કામ છે.” કોનું?” એમનું “શું કામ છે?” “મારે એમને કાનમાં કહેવાનું છે.”
આમ કહીને ગૈલોક્યસુંદરી કાંઈ વિચારે કે કહે એ પહેલાં એ સીધો મંગલકલશની નજીક આવી ગયો અને એના કાનમાં કહી દીધું.
તમારે અહીંથી શીઘ નીકળી જવાનું છે.”
આટલું કહીને એ રવાના તો થઈ ગયો પણ રૈલોક્યસુંદરીને “કંઈક ગરબડ થઈ રહી છે એવું લાગ્યું. અમે બંને ઓરડામાં એકલા હોઈએ અને છતાં આ માણસ રજા લીધા વિના અંદર આવી જાય અને કાનમાં કંઈક કહીને સીધો જ બહાર નીકળી જાય એ હકીકત મામૂલી તો નથી જ લાગતી. એ માણસનો સંદેશ સાંભળ્યા બાદ મંગલકલશના ચહેરા પર વ્યગ્રતાના ઊપસી આવેલા ભાવો પણ એટલું જ કહે છે કે કંઈક ગરબડ તો છે જ.”
પણ કૈલોક્યસુંદરીની આગળની વિચારણા સ્થગિત થઈ ગઈ. મંગલકલશ ઊઠીને દરવાજાની બહાર જવા લાગ્યો.
નાથ! ક્યાં જાઓ છો?' દેહચિંતા માટે જવું જ પડે તેમ છે.” હું પાણી લઈને આવું છું.” “ના, તું તુર્ત જ નહીં આવતી’
પણ કેમ?'
મને દેહચિંતા વખતે કોઈ નજીક હોય તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org