SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મોને સંપૂર્ણ નાશ થતો નથી પણ તેમની ફરજનન શકિને જ નાશ થાય છે ? ભોગથી સંચિત કર્મોને ક્ષય પણ શાસ્ત્રપ્રામાણ્યથી જ જ્ઞાત થયો છે તેમ તત્ત્વજ્ઞાનથી સંચિત કર્મોને નાશ પણ અમે શાસ્ત્રપ્રામાણ્યથી જ જાણીએ છીએ. અને શાસ્ત્રમાં કહ્યું છે હે અજુન ! જેમ પ્રજવલિત અગ્નિ ઈધણને બાળીને ભસ્મ કરી નાખે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી નાખે છે' [ગીતા ૪.૩૭]. આ કેવળ શ્રદ્ધા નથી, કારણ કે વેદના જાણકારોમાં અગ્રણી એવા વ્યાસમુનિએ જ સમ્યફ પ્રકારે ૨ | કહ્યું છે. જે અથ વેદને સંમત ન હોય તેને તેઓ કહે નહિ 50. तदन्ये न मन्यन्ते । न सर्वात्मना कर्मणां दाहः, किन्तु स्वरूपेण सतामपि सहकारिवैकल्यात् स्वकार्यकरणोदासीनता तेषां भवति भृष्टानामिव बीजानामड्कुरकरणकौशलहानिः, यतः सामग्री कार्यस्य जनिका, न केवलं कारकम् । अतो न कर्माण्येव केवलानि फलोपभोगयोग्यशरीरेन्द्रियादिजन्मनिमित्ततामुपयान्ति, किन्तु मिथ्याज्ञामेन दोषैश्च सहितानि । तदुक्तम्-'अविद्यातृष्णे धर्माधर्मी च जन्मकारणम्' રૂતિ | 50. તે મતને કેટલાક બનતા નથી. જ્ઞાનાગ્નિથી કર્મોને સંપૂર્ણ દાહ થતું નથી, પરંતુ સ્વરૂ૫થી કર્મોની સત્તા હેવા છતાં સહકારીકારની વિકલતાને કારણે પિતાનું કાર્ય કરવામાં કર્મો ઉદાસીન બને છે – જેમ ભુંજાયેલાં બીજેનું અંકુરને ઉત્પન્ન કરવાનું કૌશલ નાશ પામે છે તેમ, કારણ કે કારણસામગ્રી કાર્યની ઉત્પાદક છે, કેવળ કારક કાર્યનું ઉત્પાદક નથી. એટલે કેવળ કર્મો ફલેપભોગગ્ય શરીર, ઈજ્યિ વગેરે ઉત્પન્ન કરનારું કારણ નથી પરંતુ મિયાજ્ઞાન અને દેવો સહિતનાં કર્મો કારણ છે. તેથી કહ્યું છે કે અવિદ્યા-તૃણા અને ઘર્મ-અધમ [સાથે મળીને જન્મનું કારણ છે. Sા. તરવવિદ્રશ્ય તરવવિરવાવ નાવિયા મિથાજ્ઞાનાત્મિના મવતિ | ઢોષાणां तु प्रशमे दर्शित एव क्रमः । तदभावे भवन्तावपि धर्माधर्म न बन्धाय कल्पेते । न हि स्वकार्यमङ्कुरादि कुसूलवर्तीनि बीजानि जनयितुमुत्सहन्ते । भृष्टबीजानामपि स्वरूपशक्तिरपि तानवं गता । तद्वत् कर्मणां स्वरूपशक्तिशैथिल्यं मा नाम भूत् तथापि कुसूलवर्तिबीजवत् सहकारिवैधुर्यात् कार्यानारम्भ इति । तदिदमुक्तम् 'न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य' इति न्यायसूत्र ४.१.६४] । 51. તત્ત્વને જાણતો હોવાને લીધે તત્ત્વજ્ઞાનીને મિથ્યાજ્ઞાનરૂપ અવિદ્યા હતી નથી. દેશોના પ્રશમને ક્રમ અમે જણાવ્યો છે જ. દોષોને અભાવ થતાં ધર્મ અને અધર્મ ( કર્મો) બંધન કરવા સમર્થ નથી. કેઠીમાં રહેલાં બીજો અંકુર આદિ પિતાનાં કાર્યો ઉત્પન્ન કરવા સમર્થ નથી. ભુંજાયેલાં બીજેની પણ સ્વરૂપશક્તિ પાતળી પડી જાય છે – મંદ બની જાય છે; તેની જેમ કર્મોની સ્વરૂપશક્તિ શિથિલ ન થાઓ તેમ છતાં કઠીમાં રહેલા બીજની જેમ, સહકારી કારથી રહિત હેવાથી, કાર્ય ઉત્પન્ન થતું નથી. કહ્યું છે કે “હીનકલેશવાળાની પ્રવૃત્તિ પુનર્જન્મ માટે નથી' [ન્યાયસૂત્ર ૪.૧.૬૪]. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy