SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યમાન્ય બુદ્ધિતત્ત્વની આવશ્યકતા નથી ૨૮૫ [આ પુરવાર કરે છે કે પુરુષમાં સ્વાભાવિક દર્શનશક્તિ નથી જ! અને પ્રતિબિંબ પક્ષમાં એકબીજાનું અનુરંજન તુલ્ય હોવાથી તેમ જ તેવા તે અનુરંજનને અભાવ કદી ન થતું હોવાથી તમે સાંખ્યો એ કેવી રીતે નક્કી કરશે કે આ બુદ્ધિના ધર્મો છે અને આ પુરુષના ધર્મો છે, કારણ કે તે બેને પૃથફ કરીને તેમના સ્વરૂપને નિશ્ચય તમે કદી કર્યો નથી. આ કાર્યો પુરુષનાં છે અને આ કાર્યો બુદ્ધિનાં છે એમ તેમનાં કાર્યોના ભેદને નિશ્ચય ન હોવાથી તે બેનું જુદાપણું જણાવવું મુશ્કેલ છે. ચેતનવ અચેતનવ અને ભોસ્તૃત્વ ભોગ્યત્વને કારણે તે બનેનું જુદાપણું સ્પષ્ટ છે એમ જે તમે સાંખ્યો કહે છે તે બરાબર નથી કારણ કે બુદ્ધિ જ્ઞાન આદિ ધરાવે છે અને સાથે સાથે તે અચેતન પણ છે એમ કહેવું એ તો વિચિત્ર કહેવાય. વળી, બુદ્ધિ અને પુરુષનું જુદાપણું ક૯પીને પણ બુદ્ધિના ધર્મો પુરુષમાં અને પુરુષના ધર્મો બુદ્ધિમાં આરોપવા પડે છે, તે પછી તેમને જુદા માનવાનું શું પ્રયોજન ? બેને જુદા માનવાથી, બુદ્ધિ જ્ઞાન આદિ ધરાવતી હોવાને કારણે બુદ્ધિમાં ચેતનત્વ આવી પડે અને બુદ્ધિમાં ચેતનત્વ આવી પડવાના કારણે કાર્યકારણના સંઘાતરૂપ એક શરીરમાં બે ચેતન (આત્મા) માનવાના અનિષ્ટની આપત્તિ આવે. ____84. नित्यमन्तःकरणमन्तरेण पुस उपलब्धिर्न भवेदिति बुद्धेः कल्पना चेत् , अस्त्येव नित्यमन्तःकरणं मनः । तेन करणेन कर्तुरात्मनो विषयोपलब्धिक्रिया निर्वय॑ते । सैव च बुद्धिरित्याख्यायते, न त्वन्या नित्या बुद्धिरस्तीति । किञ्च कस्य कृते परिदृश्यमानमात्मनो ज्ञानादिक्रियाकर्तृत्वमुत्सृज्य बुद्धेरदृश्यमानमुपेयते, कोऽत्राशयः ? 84. નિત્ય અન્ત કરણ વિના પુરૂષને વિષપલબ્ધિ ન થાય, એટલે બુદ્ધિને કલ્પવામાં આવી છે એમ જે તમે સાંખે કહે તે અમે કહીએ છીએ કે નિત્ય અન્તઃકરણ મન તો છે જ, તે કરણથી કર્તા આત્માની વિષલબ્ધિરૂપ ક્રિયા પાર પડે છે, તે વિષપલબ્ધિરૂપ ક્રિયાને જ બુદ્ધિ નામથી જણાવવામાં આવે છે, બીજી કોઇ નિત્ય બુદ્ધિ નથી. વળો, શા માટે આત્માનું જ્ઞાન વગેરેનું દેખાતું કર્તુત્વ છેડી બુદ્ધિનું જ્ઞાન વગેરેનું ન દેખાતું કતૃત્વ તમે સ્વીકારો છો ? તમારે અહી શે આશય છે ? 85. ननु पुरुषस्य स्वातन्त्र्यात्मककर्तृत्वे सति स्वकृतकर्मफलोपभोगानन्त्यादनिर्मोक्षः स्यात् , न हि कर्मणां परिक्षयो जन्मकोटिशतैरपि शक्यक्रियः । यदा तु अकर्तारमुदासीनं प्रकतिर्बध्नाति तदा सैव ज्ञाता सती मोक्ष्यतीति न दूरं मोक्षवर्म મવિષ્યતિ | 85. સાંખ્ય – પુરુષનું સ્વાતવ્યાત્મક કતૃત્વ હોય તે પિતાનાં કરેલાં કર્મોનાં ફળે. ને ઉપભોગ અનત હે ઈ મેલ જ ન થાય, કારણ કે એમાં કર્મોને ક્ષય અબજો જન્મથી પણ કર શકય નથી. પરંતુ જે અર્જા ઉદાસીન પુરુષને આમ પ્રકૃતિ બાંધે તો પ્રકૃતિ પોતે જ જ્ઞાતા હેવાથી પુરુષને મુક્ત કરશે, એટલે મેક્ષને માર્ગ લાંબે નહિ થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy