SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ આત્મનિત્યસ્વાદિને ઉપસંહાર 163. તેથી આત્મા નિત્ય છે. પિતે કરેલાં કર્મોને અનુસરતા ધર્મ અને અધર્મથી ક્રમથી જન્મેલાં સુખ અને દુઃખને તે ઉપભોગ કરે છે. આગમનું પ્રામાણ્ય ફુટપણે અમે પહેલાં જ જણાવ્યું છે. તે આગમાંથી પણ આત્મા જન્મ-મરણથી પર એવું તત્વ છે એમ પ્રસિદ્ધ છે. “આત્મા વિજ્ઞાનધન જ છે' આદિ દવચન પૂર્વપક્ષ રજુ કરે છે, પૌપને વિચાર કરવાની ક્ષમતા વિનાના હૃદયવાળાઓએ તે અર્થને તે જ ગ્રહણ કરી લીધે. મોયીએ જ્યારે ભગવાન યાજ્ઞવલક્યને પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા કે આત્મા નાશ પામતા જ નથી. આ વચન જ સિદ્ધાંતના સારરૂપ છે. તેથી આત્માના નિયત્વનું સમર્થન કરવાથી પરલોકમાગ સ્પષ્ટપણે સિદ્ધ થયું. [ આ જન્મના દેહને છોડી જન્માક્તરમાં ] અન્ય દેહની સાથે આત્માને સંબંધ થવો તેને જ તજજ્ઞો પરલેક કહે છે. ભવાનેતર ( =પરલેક) નથી એમ માની જે ધૂત પરસ્ત્રીમાં, જુગારીઓની ગોષ્ઠીમાં, વેશ્યાઓના મુખકમળને ચુમવામાં આસક્ત બુદ્ધિવાળો છે તે હવે પલેકની સિદ્ધિ થતાં દુઃખી થાય છે–પરિતાપ પામે છે. નિષ્કર્ષ એ કે આ આત્મા નિત્ય છે, કલુષફળ તેનું નૈસગિક નથી; રાગ-દ્વેષનો યોગ પણ તેને સ્વાભાવિક નથી; બધા ગુણોથી રહિત જ તેનું સ્વરૂપ છે અનાદિ પ્રવાહમાં ઉપચિત થયેલાં અને ફળમાં પરિણમતાં કર્મોથી જન્ય દુઃખ સંપૂર્ણપણે ત્યજીને અખિલ ભયથી પર નિઃશ્રેયસૂને માટે તે પ્રયત્ન કરે. જયન્તભકૃત ન્યાયમંજરીનું સાતમું આહ્નિક સમત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy