SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિયવની સિદ્ધિ (= વિશિષ્ટ) હોય છે, એટલે અહી પણ કાર્ય અનિયતકારક નથી પણ નિયતકારણક જ છે. તેથી જ કાયવિશેષના દર્શનને કારણે કારણનિયમ પણ દુરપવ છે, એટલે મુખવિકાસનું કારણ હઈ જ છે એમ જ્ઞાત થાય છે કારણ કે હજાર વાર તેમ આપણે દેખ્યું છે. અચેતન કમળ વગેરેના વિકાસનું કારણ સૂર્યનાં કિરણોને સ્પર્શ આદિ ઉપલબ્ધ છે એટલે કમળને વિકાસ પણ સ્વાભાવિક નથી. નિષ્કર્ષ એ કે મુખવિકાસનું કારણ હર્ષ છે, હર્ષનું કારણ સ્મૃતિ છે, સ્મૃતિનું કારણ અનુભવ છે જે અનુભવ તાજા જન્મેલા બાળકને જન્માન્તરમાં થયું છે. 159. ननु शिशोर्जन्मान्तरानुभूतस्मरणे सर्वदा सर्वस्मरणप्रसङ्गः, न, यावत्कार्य कारणकल्पनात् । न हि सर्वदा सर्वस्मरणं संवेद्यते । न च तत्कल्पनायां कारणमुपलभ्यते । न चैकदर्शनात् सर्व कल्प्य, दृष्टमपि वा निहोतव्यमिति परीक्षकाणामुचित एषः पन्था इत्यसकृदुक्तम् ।। अपि च पयसस्तृप्तिहेतुतामनुस्मरन् बालकः स्तन्याभिलाषेण मातुः स्तनतटे दृष्टिं निदधाति । न चाद्य तेन तस्य तत्साधनत्वमवगतमिति जन्मान्तरे सम्बन्धग्रहणमस्य वृत्तमिति मन्यामहे । ' न चायस्कान्तदृष्टान्तसमाश्रयेण स्वाभाविकमेव तत् बालकस्य कुचकलशनिकटोपसर्पणमिति वक्तुमुचितम् , अनन्तरमेव निरस्तत्वात् । 159. ચાર્વાક– જે શિશુને જન્માક્તરમાં અનુભવેલાનું સ્મરણ થતું હોય તે તેને સર્વદા સર્વના સ્મરણની આપત્તિ આવે. યાયિક– ના, એવું ન બને, કારણ કે જેટલું કાર્ય હોય તેટલા કારણની કલ્પના થાય છે. તેથી સર્વદા સર્વનું સ્મરણ સંવેદાતું નથી. સર્વદા સર્વના સ્મરણની કલ્પના કરવા માટે કોઈ પણ કારણ દેખાતું નથી. એકના દર્શન ઉપરથી સર્વેની કલ્પના કરવી જોઈએ નહિ, તેમ જ એવું દેખ્યું હોય તે તેને પ્રતિષેધ પણ કરવો જોઈએ નહિ, એ પરીક્ષાને માટે ઉચિત છે, એ ખરે માર્ગ છે, એમ અમે વારંવાર જણાવ્યું છે. વળી, "તૃપ્તિનું કારણ પયસ્ છે એનું સ્મરણ કરતું બાળક સ્તન્યના અભિલાષથી માતાના સ્તનતટે દૃષ્ટિ સ્થિર કરે છે. પરંતુ અત્યારે બાળકે સ્તન્ય તૃપ્તિનું સાધન છે એમ જાણ્યે-અનુભવ્યું નથી એટલે તપ્તિ અને પયસ્ વચ્ચેના વ્યાતિસંબંધનું ગ્રહણ તેણે જન્માક્તરમાં કર્યું છે એમ અમે માનીએ છીએ. લેહચુંબકના દૃષ્ટાન્તને આધાર લઈને બાળકનું સ્તનકલશની નિકટ જવું સ્વાભાવિક છે એમ કહેવું ઉચિત નથી, કારણ કે અનન્તર તેને નિરાશ કરી દીધું છે 160. ननु च गर्भशय्याशायिनोऽपि परिपोषदर्शनात् तत्साधनोपादाने तदनुस्मरणमेव प्राप्नोति । यदि कार्यमवगम्यते तत्रापि तत्कारणमवगम्यतां, को दोषः ? तत्र तु जनयित्रीजठरपतितान्नपानपरिपाकसंक्रान्त्या तत्परिपोषमायुर्वेदविदा वदन्तीति कथं तत्र Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy