SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ ભૂતચૈતન્યવાદ અને તેનું ખંડન व्यभिचारः, तद्विशेषगुणत्वे हि चैतन्यस्य रूपादिवत् तदवस्थानादविनाशप्रसङ्गः । यत्तु मदशक्तिवदित्युक्तम् तत्र मदशक्तेई ष्टत्वात् अभ्युपगमः, न तु ज्ञानस्य तत्र दर्शनम् । 48. શરીરને જ્ઞાન આદિને યોગ નથી કારણ કે (૧) ક્ષીરની જેમ તે પરિણામ છે, (૨) ક્ષીરની જેમ તે રૂપ આદિ ગુણે ધરાવે છે, (૩) ત્રિદંડ વગેરેની જેમ તે અનેકના સમૂહ રૂપ છે, (૪) બાહ્ય ભૂતની જેમ તે વિશિષ્ટ સન્નિવેશ ધરાવે છે. શરીર ચૈતન્યશૂન્ય છે, કારણ કે તે શરીર છે, મૃતશરીરની જેમ. ચૌતન્ય શરીરને ધર્મ નથી કારણ કે જ્યાં સુધી શરીરનું અસ્તિત્વ હોય છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ હેતું નથી. કાર્ય આદિ સાથે આને વ્યભિચાર નથી (અર્થાત્ શરીરને જે ધર્મ હોય તે યાવતશરીરભાવી હોય, કાર્ય શરીરને ધર્મ હોવા છતાં લાવશરીરભાવી નથી એટલે અહીં વ્યભિચાર આવે છે એમ નહિ કહી શકાય) કારણ કે શરીરમાં કાર્યની ઉત્પત્તિ અને નાશને બીજા નિમિત્તથી ઉત્પન્ન થતાં દેખીએ છીએ, પણ મૈતન્યની ઉત્પત્તિ અને નાશને બીજા નિમિત્તથી ઉત્પન્ન થતાં દેખતાં નથી. “[ચૈતન્ય] શરીરનો વિશેષણગુણ હતાં” એ જાતનું વિશેષણ ચૈતન્યને આપવાથી વ્યભિચાર આવતે નથી [એમ ન કહેવું જોઈએ] કારણ કે શરીરને વિશેષગુણ હતાં ચૈતન્યની અવસ્થિતિ રૂપ આદિની જેમ–અર્થાત જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી–થવાથી શરીર અવિનાશી (અમર-ન મરે એવું) બની જવાની આપત્તિ આવશે. જેમ કિર્વ આદિમાં મદશક્તિ આવિર્ભાવ પામે છે તેમ ભૂતોમાં (= શરીરમાં) જ્ઞાન આવિર્ભાવ પામે છે એમ જે કહેવામાં આવ્યું ત્યાં કિવ આદિમાં મદશક્તિ દેખાતી હોઈ તેને અમે નૈયાયિક સ્વીકાર કરીએ છીએ પરંતુ ભૂતોમાં જ્ઞાનનું દર્શન થતું નથી [ એટલે ભૂતેમાં જ્ઞાનને અમે સ્વીકાર કરતા નથી.]. 49. ननु ज्ञानमपि तदन्वयव्यतिरेकानुविधायि प्रायेण दृश्यते । भूतेष्वन्नपानाधुपयोगपुष्टेषु पट्वी. चेतना भवति, तद्विपर्यये विपर्ययः । ब्राह्मीघृताधुपयोगसंस्कृते ' च कुमारशरीरे पटुप्रज्ञता जायते । वर्षासु च स्वेदादिनाऽनतिदवीयसैव कालेन दध्याद्यवयवा एव चलन्तः पूतनादिक्रिमिरूपा उपलभ्यन्ते । चैतन्ये च गुरुलाघवव्यवहारोऽपि भूतातिशयसदसत्त्वकृतो भविष्यतीति भूतचैतन्यपक्ष एव युक्तियुक्तो लक्ष्यते । 49. ભૂતચૈતન્યવાદી – જ્ઞાન પણ ભૂત સાથે અન્વય-વ્યતિરેક ધરાવતું પ્રાયઃ દેખાય છે. અન્નપાન આદિના ઉપયોગથી પુષ્ટ ભૂતમાં પટુ ચેતના દેખાય છે અને અન્નપાન આદિનાં ઉપગના અભાવમાં ક્ષીણ ભૂતોમાં મંદ ચેતના દેખાય છે. બ્રાહ્મી ઘી વગેરેના ઉપયોગથી સંસ્કૃત કુમારશરીરમાં પટુ પ્રજ્ઞા જન્મે છે અને વર્ષાકાળમાં ભેજ વગેરેને લીધે થોડા જ વખતમાં દહીં વગેરેના અવયવે જ ચાલતા પૂતાના આદિ કૃમિરૂપ દેખાય છે. ચૈતન્યમાં તીર-મંદને વ્યવહાર ભૂત ના અતિશયના હેવા ન હોવાના આધારે થશે, એટલે ભૂતચૈતન્યપક્ષ જ યુક્તિયુક્ત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy