SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ આત્માનું અનુમાન શકય છે शास्त्रो चानेकहेतूक्तिर्न दोषाय कथास्विव । शिष्यः कश्चित् क्वचित् किञ्चिदनुस्मृत्याभिधास्यति । इति कारुणिको मुनिरनेकमिह हेतुमार्गमुपदिष्टवान् । 33. જ્ઞાનને પણ આત્માના લિંગ તરીકે જણાવવું શક્ય જ છે. જો કે પ્રથમ જ્ઞાન અનુસંધાનનિરપેક્ષ થાય છે, તેમ છતાં અનુસંધાનપૂર્વક થતાં ઈચ્છા વગેરે કાર્યોનું પ્રકરણ (સંદર્ભ) હોવાને કારણે નિર્ણયાત્મક જ્ઞાનને જ આત્માના લિંગ તરીકે કહેવું જોઈએ, કારણ કે નિર્ણયાત્મક જ્ઞાન બુભુત્સા, વિમર્શ વગેરે પૂર્વક થતું દેખાય છે, એટલે તેમનામાં એકકતૃકતા ઘટે છે. તેથી, આ પ્રમાણે ઇચ્છા વગેરે આત્માનાં લિંગે છે એ સ્થિર થયું. જેમ જલ્પ વગેરે કથાઓમાં અનેક હેતુઓ જણાવવાથી નિગ્રહસ્થાનરૂપ દેષ થાય છે તેમ શાસ્ત્રમાં અનેક હેતુઓ જણાવવાથી નિગ્રહસ્થાનરૂપ દોષ થતું નથી. કેઈ શિષ્ય ક્યારેક કંઈક (કેઈક હેતુ) અનુસ્મરણ કરી કહેશે એમ વિચારી કાણિક મુનિ ગૌતમે અનેક હેતુઓ અહીં ઉપદેશ્યા છે. 34. नन्वत्र चोदितमनुसन्धातारमन्तरेण तदेतदिच्छाऽऽदिकार्य नावकल्पत इति कथं ज्ञायते ? एकत्र प्रमातरि तद्दर्शनादिति यदुच्यते, तदिदमेकप्रमातृग्रहणादात्मप्रत्यक्षत्वमङ्गीकृतं स्यादिति व्यर्थमनुमानम् । अग्रहणे तु प्रमातुरेकस्य तत्पूर्वकत्वेनेच्छाऽऽदेः प्रतिबन्धाग्रहणादशक्यमनुमानमिति । परिहृतमेतत् । कार्यत्वेनैव लिङ्गत्वमिच्छाऽऽदेरुपवर्णितमस्माभिः, न स्मरणादिसमानाश्रयतयेति । 34 શંકા- અહીં કોઈ પ્રશ્ન ઊઠાવે છે કે, અનુસંધાતા વિના આ ઈચ્છા વગેરે કાર્ય ઘટતું નથી એ કેવી રીતે જણાય ? “એક પ્રમાતામાં તે કાર્યનું દર્શન થતું હોવાને કારણે એમ જે કહેવામાં આવે છે તે બાબતે કહેવું જોઈએ કે જે એમ હેય તે આ એક પ્રમાતાના ગ્રહણ દ્વારા આત્માના પ્રત્યક્ષને સ્વીકાર થાય, એટલે અનુમાન વ્યર્થ બને. અને જે એક પ્રમાતાનું અગ્રહણ હેય તે ઈચછા આદિને તપૂર્વકરૂપે (= એકપ્રમાતૃપૂવકરૂપે) વ્યાપ્તિસંબંધ ગૃહીત થાય નહિ, પરિણામે અનુમાન અશક્ય બને. a નયાયિક – આ શંકાને અમે દૂર કરી દીધી છે. ઈચ્છા વગેરેને કાર્ય હોવાને કારણે લિંગ તરીકે વર્ણવ્યાં છે, સ્મરણ આદિ સાથે તેમને સમાન આધાર હોવાને કારણે લિંગ તરીકે વર્ણવ્યાં નથી. 35. વિમસ્તહિં પ્રતિસધાત્રોવન્યાસઃ ? શરીરહિ૬ તાત્રયવિપ્રતિષેધાઃ | न त्वेवं व्याख्यातवन्तो वयमेकस्य प्रमातुरिच्छाऽऽदिकार्याश्रयत्वदर्शनादेकाश्रयत्वानुमानमिति । तस्मान्न दोषः । 35. શંકાકાર– તે પછી શા માટે પ્રતિસંધાતાની વાત કરે છે. વ યાયિક– તે કાર્યોને આશ્રય શરીર વગેરે નથી એમ પ્રતિષેધ કરવા માટે. અમે એ પ્રમાણે વ્યાખ્યા કરી નથી કે એક પ્રમાતામાં ઈચ્છા વગેરે કાર્યોનું આશ્રયપણું દેખાતું હોઈ એકાશ્રયપણુનું અનુમાન કરવામાં આવેલ છે. તેથી દેષ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy