SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ આત્મા અહંપ્રત્યયગમ્ય છે એમાં થર્યો છે તે ભૂતને (પૃથ્વી આદિને) જ થશે. જેમ ગોળ, પિષ્ટ વગેરે પહેલાં મદશકિત ધરાવતા ન હોવા છતાં પછી જ્યારે તેઓ દારૂરૂપ પરિણામને પામે છે ત્યારે તેઓ મદશક્તિ પ્રાપ્ત કરે છે, તેમ મૃદ્દ આદિ અવસ્થામાં અચેતન હોવા છતાં ભૂત જ્યારે શરીર રૂપ પરિણામને પામે છે ત્યારે ચૈતન્યને પ્રાપ્ત કરે છે. કાલાન્તરે વ્યાધિ આદિને કારણે તે પરિણામવિશેષને જ્યારે તેઓ છેડી દે છે ત્યારે તેઓ જ પાછા ચૈતન્યથી રહિત બની જાય છે. ચૈતન્ય જ્યાં સુધી દૂર થતું નથી ત્યાં સુધી તેઓ જ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, વગેરે વ્યવહારે પાર પાડવાની નિપુણતા અનુભવશે. તેથી, આત્માનું અનુમાન શેનાથી (કયા લિંગથી) થાય ? વળી, આગમે તે મને રથથી પ્રામાણ્ય પામેલા છે, તેથી તેઓ કેવી રીતે આત્માનું જ્ઞાન કરાવવા શક્તિમાન બને ? “વિજ્ઞાનઘન જ આ ભૂતોમાંથી આવિર્ભાવ પામી તેમનામાં જ પાછો તે પ્રવેશી જાય છે, પરલેક નથી' આ પણ આગમ છે જ. તેથી નિત્ય, પરાકી આત્માને અભાવ હોવાથી વિકૃત અર્થવાળી અને પરિશ્રમકારી આ પરલેકની વાતથી સયું. 9. तत्र प्रत्यक्षमात्मानमौपवर्षाः प्रपेदिरे । ___ अहंप्रत्ययगम्यत्वात् स्वयूथ्या अपि केचन ॥ अस्त्ययमहंप्रत्ययः कश्चित् शरीरसामानाधिकरणः 'स्थूलोऽहम् ', 'कृशोऽहम्' इति, कश्चित् ज्ञातृसमानाधिकरणो 'जानाम्यहम्' 'स्मराम्यहम्' इति । तत्र स्थूलादिसमानाधिकरणस्तावदास्तामहंप्रत्ययः ।। ज्ञानेच्छासुखदुःखादिसामानाधिकरण्यभाक् । यस्त्वहंप्रत्ययस्तत्र नात्मनोऽन्यः प्रकाशते ॥ न हि ज्ञानसुखेच्छाऽऽदियोगः कायेन्द्रियादिषु । તે ન જ જ્ઞાનાઢિશૂન્યૂડ નાનામીત્યા સંવિ: | 9. તૈયાયિક– આત્મા પ્રત્યક્ષ છે કારણ કે તે અહંપ્રત્યયને વિષય છે એમ ઉપવર્ષના અનુયાયીઓએ તેમ જ કેટલાક અમારા પિતાના જૂથવાળાઓએ પણ પ્રતિપાદન કર્યું છે. કોઈક અહંપ્રત્યય શરીરસમાનાધિકરણ હેય છે, જેમ કે “હું જાડું છું” “હું પાતળું છું.” કઈક અહંપ્રત્યય જ્ઞાતૃસમાનાધિકરણ હોય છે, જેમ કે હું જાણું છું” “હું સ્મરું છું. અહીં સ્કૂલ આદિ સાથેના સમાનાધિકરણવાળા અહં પ્રત્યયને રહેવા દે. જ્ઞાન, ઈચછા, સુખ, દુઃખ.. વગેરે સાથેના સમાનાધિકરણવાળે જે અહં પ્રત્યય છે તેમાં આત્માથી અન્ય બીજુ કંઈ પ્રકાશતું નથી કારણ કે જ્ઞાન, સુખ, ઈછા વગેરે સાથે યોગ કાય, ઇન્દ્રિય વગેરેમાં - સંભવ નથી અને જ્ઞાન વગેરેથી રહિત વસ્તુમાં “હું જાણું છું' ઇત્યાદિ સંવિત સંભવતી નથી. 10. જ્ઞાનમાત્રાવાયોડરિ વારિત: પ્રસ્થમજ્ઞયા | ज्ञातवानहमेवादावहमेवाद्य वेद्मि च ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy