SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ વૈયાકરણના ઉપદેશની સહાય પામેલી શ્રોત્રેન્દ્રિયથી સાધુત્વ-અસાધુત્વ પ્રાઘ યેલા વર્ષોના સમૂહરૂપ પદનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન સંદિગ્ધ નથી હતું, તેની સ્થિરતાને દૂર કરનારું બાધક જ્ઞાન નથી, તે અશુદ્ધ કરણથી ઉત્પન્ન થયેલ નથી, તે કલ્પનામાત્ર સ્વરૂપ નથી. એટલે આ જ્ઞાનમાં પ્રકાશતા ફુટ ક્રમવાળા વર્ગોના સ્વભાવવાળા પદનું ગ્રહણ જ સાધુત્વનું ગ્રહણ છે, અને તેનાથી વિપરીત એવું યથાનિર્દિષ્ટ દેથી દૂષિત શબ્દજ્ઞાન જ અસાધુત્વનું પ્રહણ છે. આમ સાધુત્વ અને અસાધુત્વ બને પ્રત્યક્ષગમ્ય છે. 250 નનું વઢિ શ્રોત્રાનૈવ પ્રયન સાધુવાસાધુ પ્રતિપરાર: प्रतिपद्यन्ते, व्याकरणाध्ययनवन्ध्यबुद्धयोऽपि प्रतिपद्येरन् , न च प्रतिपद्यन्ते । तस्मान्न ते इन्द्रियविषये इति । ... नैष दोषः, वैयाकरणोपदेशसहायकोपकृतश्रोत्रेन्द्रियग्राह्यत्वाभ्युपगमात् । यथा ब्राह्मणत्वादिजातिरुपदेशसव्यपेक्षचक्षुरिन्द्रियग्राह्यापि न प्रत्यक्षगम्यतामपोज्झति, यथाऽऽह 'न यद् गिरिशृङ्गमारुह्य गृह्यते तदप्रत्यक्षम्' इति, यथा वा सविकल्पकप्रत्यक्षप्रामाण्यसिद्धौ शब्दानुविद्धबोधेऽपि प्रामाण्यमुपपादितमादौ । किल संज्ञोपदेशिना 'पनसोऽयम्' इति वृद्धवचसा चक्षुरिन्द्रियेण पनसज्ञानमुत्पद्यते, सङ्केतकरणकाले तदुभयजमित्यव्यपदेशपदेन व्यपनीतं, व्यवहारकाले तु पुनः पनसादिज्ञानमुपदेशस्मरणापेक्षचक्षुर्जनितमपि चाक्षुषमेवेति वर्णितम् । एवमिहापि व्याकरणकोविदोपदेशसचिवश्रवणेन्द्रियग्राह्ये अपि साधुत्वासाधुत्वे न प्रत्यक्षतामतिवर्तते । । 250. શંકાકાર–જે શ્રેગ્નેન્દ્રિય દ્વારા થતા પ્રત્યક્ષ જ્ઞાન વડે જ જ્ઞાતાઓ શબ્દગત સાધુત્વ અસાધવ જાણતા હોય તે વ્યાકરણના અધ્યયનથી વંચિત બુદ્ધિવાળાઓ પણ તે સાધુત્વ અસાધુત્વને તે પ્રત્યક્ષ જ્ઞાન વડે જાણે પરંતુ તેઓ જાણતા નથી. તેથી સાધુત્વઅસાધુત્વ ઍન્દ્રિયને વિષય નથી. * નયાયિક – એ દોષ નથી આવતું, કારણ કે વૈયાકરણોના ઉપદેશની સહાયથી ઉપકૃત શ્રેગેન્દ્રિય વડે સાધુત્વ-અસાધુત્વ ગ્રાહ્ય છે, એમ અમે સ્વીકાર્યું છે. ઉદારણાર્થ, ઉપદેશની સહાય પામેલી ચક્ષુરિન્દ્રિય વડે બ્રાહ્મણત્વ જાતિ ગ્રાહ્ય છે છતાં તે બ્રાહ્મણતત્વ જાતિ પ્રત્યક્ષવિષયતા ( = પ્રત્યક્ષગમ્યતા) છોડતી નથી અને કહ્યું પણ છે કે પર્વતશિખરે ચઢળ્યા પછી જે ગૃહીત થાય તે પ્રત્યક્ષ નથી એમ નહિ' અથવા તે ઉદાહરણથ, સવિકલ્પક પ્રત્યક્ષના પ્રામાણ્યને સિદ્ધ કરતી વખતે સૌપ્રથમ શબ્દાનુવિદ્ધ બોધનું પ્રામાણ્ય ઘણાવ્યું છે, આ પસ છે' એમ સંજ્ઞાને (= નામને) ઉપદેશ આપતા વડીલનાં વચન અને ચક્ષુરિન્દ્રિય બને મળીને પનસજ્ઞાનને ઉત્પન્ન કરે છે, સંકેતકરણકાળે તે તે ઉભયજ (શબ્દ અને ચક્ષુરિન્દ્રિય બનેથી જન્મેલું) છે એટલે “અવ્યપદેશ્ય પદથી તે પ્રત્યક્ષથી વ્યાવૃત્ત થાય છે, પરંતુ વ્યવહારકાળે પનસાદિજ્ઞાન ઉપદેશસ્મરણની સહાયથી ઉપકાર પામેલી ચક્ષુ વડે ઉત્પન્ન થયેલું હોવા છતાં ચાક્ષુષ પ્રત્યક્ષ જ છે એમ વર્ણવવામાં આવ્યું છે. તેવી જ રીતે વ્યાકરણકોવિદેના ઉપદેશની સહાય પામેલી શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય હેવા છતાં સાધુત્વ–અસાધુત્વ પ્રત્યક્ષવિષયતા છેડતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy