SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૦૨ ફલપ્રવતત્વવાદી અને નિગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ___ 294. येऽपि रागादेः प्रवर्तकत्वमभ्युपगतवन्तः तैरपि कामनाविषयीकृतं फलमेव प्रवर्तकमभ्युपगतम् । इच्छाविशेषा एव हि रागादयः । यदपि श्रेयस्साधकं प्रवर्तकमुच्यते तदपि न चारु, सत्यामपि श्रेयःसाधनतायामनार्थत्वेन प्रवृत्यभावात् । नन्वर्थिनोऽपि नानियतविषया प्रवृत्तिः, अपि तु नितिश्रेयःसाधनभावे भावार्थ । तस्मात् साधनावगमः प्रवर्तकः । सत्यम् , द्वये सत्यपीच्छैव प्रवति का वक्तुं युक्ता, तस्यां सत्यामेव प्रवृत्तिदर्शनात् । प्रवृत्तिहि नाम प्रयत्नः । प्रयत्नश्चेच्छाकार्य इति काणादाः । विषयनियमे तु श्रेयस्साधनत्वं कारणं, न प्रवृत्त्युत्पादे । 294. જેઓ રાગ વગેરેને પ્રવર્તક તરીકે સ્વીકારે છે તેઓએ પણ ઈચ્છાના વિષય બનેલા ફળને જ પ્રવર્તક તરીકે સ્વીકાર્યું ગણાય કારણ કે રાગ વગેરે વિશેષ પ્રકારની ઇચ્છા જેઓ શ્રેયસ સાધી આપનારને પ્રવર્તક કહે છે તેમને મત બરાબર નથી કારણ કે શ્રેયસ્ સાધી આપનાર હોવા છતાં શ્રેયસૂની ઇચ્છા જ જે ન હોય તો પ્રવૃત્તિ થતી નથી. નિગવાક્યા વાદી– શ્રેયસૂની ફળની] ઇચ્છાવાળો પણ ગમે તે વિષયમાં પ્રવૃત્તિ કરતો નથી પરંતુ જેની શ્રેયસાધનતા જ્ઞાત છે એવા ભાવાર્થમાં (ધાત્વર્થ યાગ આદિ કમમાં) પ્રવૃત્તિ કરે છે. તેથી શ્રેયસૂનું અમુક સાધન છે એવું જ્ઞાન પ્રવર્તક છે. ફલપ્રવર્તકત્વવાદી – તમારી વાત સાચી છે. પરંતુ ઈચ્છા અને શ્રેયસૂસાધનતાશાન બંને હોવા છતાં ઇચ્છાને જ પ્રવતક કહેવી યોગ્ય છે, કારણ કે તેના હેતાં જ પ્રવૃત્તિ દેખાય છે. પ્રવૃત્તિ જ પ્રયત્ન છે. પ્રયત્ન ઇચ્છાનું કાર્ય છે એમ વૈશેષિકે કહે છે. પ્રવૃત્તિના વિષયને નિયત કરવામાં શ્રેયસાધનત્વજ્ઞાન કારણ છે. પ્રવૃત્તિની ઉત્પત્તિમાં તે કારણ નથી. 295. किञ्च भावनावगतं श्रेयस्साधनत्वं प्रवर्तकमिष्यते तैः तच्च न पृथगमिधातुं युक्तम् , भावनायाः त्र्यंशत्वेन तत्स्वरूपावगमसमये एतदंशयोः स्वर्गयागयो साध्यसाधनभावावगतिसिद्धेः । न चांशद्वयावच्छिन्नस्य व्यापारस्य श्रेयस्साधनत्वं रूपं वक्तुमुचितम् , अनिष्पन्नस्य तस्य ताद्रूप्याभावात् । न ह्यनिष्पन्ने गवि तदेकदेशे सास्नादौ गोत्वरूपं सामान्यं निविशते । न चांशत्रयपूरणमन्तरेण भावनाख्यव्यापारनिष्पत्तिरिति । 295. વળી, તેઓ ભાવના (=આથીભાવના પુરુષને પ્રવૃત્તિરૂપ વ્યાપાર જે આખ્યાતસામાન્યને- લકારને વાચ છે તે) દ્વારા જણાવેલ શ્રેયસાધનતાને પ્રવર્તક ગણે છે. અને તેને ( શ્રેયસાધનતાને ભાવનાથી પૃથફ જણાવવી ગ્ય નથી, કારણ કે વ્યાકરૂપે ભાવનાના સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે એના બે અંશે સ્વર્ગ અને યાગના સાથસાધનસંબંધના જ્ઞાનની સિદ્ધિ થઈ જ જાય છે. [કરણ અને ઇતિકર્તવ્યતા એ બે અંશથી
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy