SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વિપરિત ખ્યાતિને નિરાસ શું છે ? સ્મરણ પણ જ્ઞાન જ છે. તેથી તે પણ કેવી રીતે અસત્ (= અતીત) અર્થને પિતાને વિષય બનાવે ? જે કહે કે અર્થ જન્ય હેવું એ સ્મૃતિનું સ્વરૂપ નથી તે ભલે એમ છે. જ્ઞાનત્વસામાન્યને કારણે અહીં સ્મૃતિમાં પણ “જ્ઞાન” શબ્દ પ્રયોગ કરવામાં આવે છે એમ પણ અમે કહેતા નથી. જે સ્મૃતિ અર્થજન્ય નથી તે પેલા (અતીત) અર્થને અહીં ઇન્દ્રિયના સંપર્કમાં કેવી રીતે લાવી શકે ?, કારણ કે તે સ્મૃતિ તે અર્થને સ્પર્શતી પણ નથી. તેથી, ઈન્દ્રિયના સર્ષકમાં જે નથી એવી રજતને પિતાને વિષય બનાવનાર વિપરીત ખ્યાતિની અસખ્યાતિથી કોઈ વિશેષતા જ રહેતી નથી. 91. જિનિનવપુપરહીતરનતા સુચિત્ર પ્રારાતે કૃતિ નેયમसख्यातिरुच्यते, तदिदमपूर्वं किमपि नाटकमियमस्मि कृत्या सीता संवृत्तेति । तथाहि किमत्र शुक्तिरिति प्रतीतिरुत रजतमिति ? शुक्तिकाप्रतीतौ तु शुक्तौ शुक्तिरेव प्रतीयते, न रजतमिति भ्रमार्थः कः ? रजतप्रतीतौ तु शुक्तिरसावित्यत्र किं प्रमाणम् ? बाधकप्रत्ययादेवमधिगतम् इति चेन्मैवम् , नहि ज्ञानान्तरेणास्याः प्रतीतेविषयो व्यवस्थापयितुं युक्तः । बाधकेन हि ज्ञानेन पूर्वज्ञानगृहीतस्य वस्तुनोऽसत्त्वं नाम ख्याप्यता, न तु तस्य विषयो निरूप्यते । अनर्थित्वाद्वा कदाचिदप्रवृत्तस्य पुंसो बाधकानुत्पत्तौ वा कोऽस्याः प्रतीतेविषयं व्यवस्थापयिष्यति । तस्माद्यदेवास्यां चकास्ति तदेव रजतमस्या विषय इति युक्तं वक्तुम्, शुक्तिस्तु निगूहितनिजवपुरिति दुर्विदग्धवाचोयुक्तिरियम् । 91. ભાદૃ મીમાંસક–પિતાના સ્વરૂપને ઢાંકી રજતરૂપ ધારણ કરનાર શુક્તિ અહીં દેખાય છે, એટલે આ અસખ્યાતિ નથી એમ અમે કહીએ છીએ. પ્રભાકર મીમાંસક –કૃત્યારાવણ નાટકમાં રાવણનો વધ કરવા જાતવેદસે પિતાનું સ્વરૂ૫ ઢાંકી “આ હું કૃત્યા (= નકલી) સીતા બની ગયો” એમ કહી સીતાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું એમ આ પણ કોઈ અપૂર્વ અકળ નાટક જ લાગે છે. શું અહીં “શુક્તિછે એવું જ્ઞાન થાય છે કે “રજત છે એવું ? જે શુક્તિનું જ્ઞાન માનવામાં આવે તે શુક્તિમાં શક્તિનું જ્ઞાન થાય છે, રજતનું જ્ઞાન થતું નથી માટે ભ્રમને અર્થ જ કયાં રહ્યો? જે રજતનું જ્ઞાન માનવામાં આવે તે “આ શુક્તિ છે એ બાબતમાં શું પ્રમાણ ? બાધક જ્ઞાનથી જ એમ જણાય છે એમ જે કહેવામાં આવે તે અમે કહીએ છીએ કે ના, એમ નથી. બીજું જ્ઞાન “આ જ્ઞાનને વિષય આ છે એ દર્શાવવાને ગ્ય નથી. બહુ બહુ તે બાધક જ્ઞાન પૂર્વજ્ઞાને ગ્રહણ કરેલ વસ્તુનું અસત્વ જણાવે છે, પૂર્વજ્ઞાનને વિષય શો છે એ તે જણાવતું નથી. અર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોવાથી કદીક પુરુષ પ્રવૃત્તિ ન કરે તે બાધક જ્ઞાનની ઉત્પતિ જ ન થાય અને બાધક જ્ઞાનની ઉત્પત્તિના અભાવમાં આ જ્ઞાનને વિષય કયો છે એ કેણ બતાવશે? માટે, આ જ્ઞાનમાં જે પ્રતીત થાય છે તે રજત જ તેને વિષય છે એમ કહેવું યોગ્ય છે. પિતાનું સ્વરૂપ છૂપાવનાર શુતિ આ જ્ઞાનને વિષય છે એ મત તે વિકૃત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy