SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ પ્રમાણ નથી 22. શંકા- એકવાર એ સિદ્ધ થઈ જાય કે શબ્દ પ્રમાણ છે પછી શબ્દને બીજા પ્રમાણુથી ભેદ છે કે અભેદ એની પરીક્ષા થઈ શકે. પરંતુ શબ્દ તે પ્રમાણ સંભવતું જ નથી. અર્થજ્ઞાનનું જનક જે હોય તે પ્રમાણ એમ કહેવામાં આવ્યું છે. પરંતુ આ શબ્દો કેવળ વિકલ્પમૂલક હોઈ અર્થને સ્પર્શતા જ નથી. શબ્દ વડે નિરૂપાતો [જણાત] અર્થ કેને કહી શકાય ? તે અર્થ જાતિ પણ નથી, વ્યક્તિ પણ નથી કે જાતિમત વ્યક્તિ પણ નથી. શબ્દનો અર્થ સાથે નિત્ય સંકેતસંબંધ શક્ય નથી. અથવા શક્ય હોય તો પણ શબ્દને અતીન્દ્રિય અર્થ સાથે તે સંબંધ જાણો કેમ કરીને શકય બને ? નિવેગ, ભાવના, ભેદ કે સંસર્ગ ઈત્યાદિ સ્વભાવવાળા વાદ્યાર્થીને પણ ખરેખર નિશ્ચિતપણે જાણ શક્ય નથી. તેના જ્ઞાનને ઉપાય શું પદાર્થો છે, પદો છે, વ્યતિષકતાર્થ વાકય છે કે ફેટ છે ?- એ પણ સમજાતું નથી. એકવાર વાક્યર્થનું જ્ઞાન થઈ જાય પછી તેના પ્રામાયને નિશ્ચય કરવા માટેનું સાધન વાક્યનું નિત્યત્વ છે કે આતોક્તત્વ છે. એને પણ સમ્યફ નિર્ણય નથી થઈ શકતે. પદ નિત્ય હોય તે પણ એ પ્રશ્ન તે રહે છે કે વૈદિકી રચના કર્તપૂર્વક છે કે નિત્ય છે ? જે તે કર્તપૂર્વક હોય તે તેમને કર્તા કોણ છે એ જાણવું મુશ્કેલ છે. તેમને કર્તા છે અને તે નિ છે, એક છે, સર્વજ્ઞ છે તેમ જ કારુણિક છે એ જાણવું શક્ય નથી. વળી, નાથવાદ આદિ] ઘણું આગમો પરસ્પર વિરુદ્ધ છે. તેમાંના કઈને કર્તા ઈશ્વર છે અને કોઈને કર્તા ઈશ્વર નથી એ અમે માનતા નથી. વેદમાં પણ વ્યાઘાત, પુનરુક્તિ, ફલાનુપલંભ, ફલવિપર્યય દોષે છે. વિરુદ્ધાર્થનું પ્રતિપાદન કરનારા અર્થવાદે વરચે, મંત્રો વચ્ચે અને નામધેયાદિ પદો વરચે સમન્વય કે ? વેદ સિદ્ધને ( સિદ્ધ વસ્તુનો) અને કાર્યને ઉપદેશ આપે છે. [અર્થાત , વેદ સિદ્ધાર્થ સ્વરૂપવર્ણન કરે છે અને કર્તવ્યનો ઉપદેશ આપે છે. એટલે લેકેને વેદમાં સંશય જાગે છે કે શું આનું પ્રામાણ્ય કાર્યમાં છે કે સિદ્ધ અર્થમાં છે કે બંનેમાં ? તેને પરિણામે વેદનું પ્રામાણ્ય વિષમ માર્ગમાં આવી પડે છે, [અર્થાત્ વેદના પ્રામાયને નિર્ણય મુશ્કેલ બની જાય છે.] જીવિકાનું સારું સાધન છે એવી બુદ્ધિથી કે શ્રદ્ધાથી વેદના પ્રામાણ્યને સ્વીકાર કરે; [બીજી કઈ રીતે વેદના પ્રામાણ્યનો સ્વીકાર થઈ શકે એમ નથી] 23. अत्राभिधीयते । सर्व एवैते दोषा यथाक्रमं परिहरिष्यन्ते इत्यलमसमाश्वासेन । सुप्रतिष्ठमेव वेदप्रामाण्यमवगच्छत्वायुष्मान् । 23. નૈયાયિક–અહીં આને ઉત્તર અમે આપીએ છીએ. આ બધા જ દેષોને યથાક્રમે અમે પરિહાર કરીશું; માટે અવિશ્વાસ વ્યક્ત કરવો બંધ કરે. વેદપ્રામાણ્યની સ્થાપના બરાબર થયેલી જ છે એમ આપ જાણે. 24. નવદંપવિમેવ સાથે પરિચિતે? ન હિ વાઘેડર્થે શT: પ્રતીतिमादधति । ते हि दुर्लभवस्तुसंपर्कविकल्पमात्राधीनजन्मानः स्वमहिमानमनुवर्तमानास्तिरस्कृतबाह्यार्थसमन्वयान् विकल्पप्रायान् प्रत्ययानुत्पादयन्तो दृश्यन्ते 'अङ्गुल्यो हस्तियूथशतमास्ते' इति स्वभाव एव शब्दानामर्थासंस्पर्शित्वम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy