SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ નિત્ય છે એ મીમાંસક મત ૧૩ વર્તમાન અસિતત્વરૂપ પ્રમેયાધિને ગ્રહણ કરતુ હોવાથી આ જ્ઞાન અનધિગતાર્થગ્રાહી પણ ઘટે છે. આપના =ૌવાવિકના] મતમાં તે પ્રત્યભિજ્ઞા ગૃહીતગ્રાહી હોવા છતાં તેનું પ્રામાણ્ય ઈચ્છવામાં આવે છે, એટલે તે અપ્રમાણ છે એમ કહેવું તમારા માટે શક્ય નથી કારણ કે તમે બૌદ્ધોની જેમ પદાર્થોને ક્ષણિક ગણતા નથી. 226. સદર નિમિત્તવું વાતું તયાશ્ચ યુષ્યતે | सामान्यविषयत्वं वा द्वयस्यापि निषेधनात् ॥ कैश्चित्तिरोहिते भावादित्यप्रामाण्यमुच्यते । तदसत्तत्प्रतीत्यैव तिरोधाननिषेधनात् ॥ जीवति स्वन्मतेऽप्येष शब्दस्त्रिचतुरान् क्षणान् । प्रत्यभिज्ञा च कालेन तावता न न सिद्धयति । एकक्षणायुषि त्वस्मिन्प्रतीतिरतिदुर्लभा । न खल्वजनकं किञ्चिद्वस्तु ज्ञानेन गृह्यते ।। इति क्षणभङ्गभङ्गे वक्ष्यते अपि च यथा निशीथे रोलम्बश्यामलाम्बुदडम्बरे । प्रत्यभिज्ञायते किञ्चिदचिरद्युतिधामभिः ॥ तथाऽविरतसंयोगविभागक्रमजन्मभिः । प्रत्यभिज्ञायते शब्दः क्षणिकैरपि मारुतैः ॥ 226. પ્રત્યભિજ્ઞાનું નિમિત્ત (વિષય) સદશ્ય છે અથવા તે તેને વિષય સામાન્ય છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે અમે તે બંનેયને નિષેધ કરવાના છીએ. શબ્દને નાશ થયા પછી પ્રત્યભિજ્ઞા થતી હોઈ [શબ્દની અવિનાશિતાની બાબતમાં તે અપ્રમાણ છે એમ કેટલાક કહે છે. તેઓ ખોટા છે કારણ કે શબ્દની પ્રતીતિથી જ શબ્દના નાશને પ્રતિષે થાય છે. તેનારા (નાવિકેના) મતે પણ શબ્દ ત્રણચાર ક્ષણ તે અસ્તિત્વ ધરાવે છે. અને એટલા કાળથી પ્રત્યભિજ્ઞા સિદ્ધ ન થાય એવું નથી. પરંતુ એક જ ક્ષણ અસ્તિત્વ ધરાવતી વસ્તુનું જ્ઞાન અતિ દુર્લભ છે. જે કોઈ વસ્તુ જ્ઞાનની અજનક હોય તે ખરેખર જ્ઞાનથી ગુડીત ન થાય. [ક્ષણિક વસ્તુને બીજી વસ્તુને ઉત્પન્ન કરવા માટે સમય જ નથી. એટલ ક્ષણિક વરતુ હંમેશા અજનક જ હોય. પરિણામે તે જ્ઞાનને પણ ૩પન્ન ન કરી શકે. જ્ઞાનને જે ઉત્પન ન કરે તેને જ્ઞાન ગ્રહણ ન કરી શકે. આ બધું અમે ક્ષણિકવાદના નિરાકરણ પ્રસંગે નિવમા આહ્નિકમાં] કહેવાના છીએ. જેમ ભ્રમર જેવાં કાળાં વાદળોથી ઘેરાયેલી રાતે વીજળીના પ્રકાશના ક્ષણિક ચમકારોએ દ્વારા કેઈક વિષયનું પ્રભિજ્ઞાન થાય છે તેમ [તાલ આદિ સ્થાને સાથે અવિરત સંયોગ અને વિમાગવી ક્રમશ: જન્મેલ ક્ષણિક વાયુઓ દ્વારા પણ શબ્દનું પ્રત્યભિજ્ઞાન , થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy