SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ નિસરણીરૂપ છે. એ સર્વવિરતિ અલ્પકષાયવાળા ભવસુખથી વિરકત અને વિનયાદિગુણોને વિષે રક્ત એવા મહાત્મા મુનિવરોને જ પ્રાપ્ત થાય છે. જે કર્મને તપાવે તે તપ કહેવાય છે, અને તેના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે, અનશન, ઊનોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલિનતા, એ છ પ્રકારે બાહ્યતપ કહેવાય છે, તથા પ્રાયશ્ચિત વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને શુભ ધ્યાન એ છ પ્રકારના અત્યંતર તપ કહેવાય છે. જ્ઞાન દર્શન ચારિત્રરૂપી રત્નત્રયીના ધારણ કરનારાએ વિષે, અદ્વિતીય ભક્તિ તથા તેના કાર્યનું કરવું તથા શુભની જ ચિંતા અને સંસારની નિંદા કરવી તે ભાવના કહેવાય છે. એ ચાર પ્રકારનો ધર્મ મોક્ષફલને આપવામાં સાધનરૂપ છે, તેથી ભવભ્રમણથી ભય પામેલા મનુષ્યોએ તે ધર્મ સાધવા યોગ્ય છે. (ઉપદેશ ૫ મો.) ભગવાન મહાવીર મહારાજાના દશ શ્રાવકો वाणिअ गाम पुरंमी, आणंदो नामगिह वई आसी, सिवनंदासे भज्जा, दससहसस्स गोउलाचउरो. ॥१॥ निहिववहार कलंतर, ठाणे सुकणयकोडिबारसगं ॥ सोसिरिवीर जिणेसर पयमूले सावओ जाओ ॥२॥ ભાવાર્થ : વાણિજય ગામે આનંદગાથા પતિ તેની શિવાનંદા સ્ત્રી હતી. ચાર ક્રોડ સોના મહોરો ભંડારમાં ચાર ક્રોડ વ્યાજે ચાર ક્રોડ વ્યાપારમાં આવી રીતે તેની પાસે બારકોડ સોના મહોરો હતી, દરેક ગોકુળમાં દસ દસ હજાર ગાયો એવા ચાર ગોકુલો હતા, ભગવાન ન ૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy