SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સર્વાગે સુંદર જે પ્રતિમા હોય, તે જિનપ્રતિમાનું સ્વગૃહે પૂજન કરવું. પરઘર તેમજ ઉપરોક્ત માનવડે કરી વર્જિત, તથા પાષાણમયી, દાંતમયી, લેપમયી, કાષ્ટમયી, ચિત્રલિખત, જિનપ્રતિમા પોતાના ઘરમાં પૂજવી નહિ, ઘરમાં રહેલી પ્રતિમાજી પાસે બલી વિસ્તાર કરવો નહિ, પરંતુ નિરંતર ભાવથી ત્રિસંધ્ય પૂજન વિગેરે કરવું, અગ્યાર આંગુલથી વધારે આંગુલવાળી પ્રતિમા જિનમંદિરમાં પૂજવી, પણ પોતાના ઘર દેરાસરજીમાં પૂજવી નહિ, અગ્યાર આંગુલથી હીન પ્રતિમા, જૈન મંદિરમાં મૂળનાયકપણે સ્થાપન કરવી નહિ, વિધિથી જિનબિંબને સ્થાપન કરનારને ઋદ્ધિ, વૃદ્ધિ, સિદ્ધિની સર્વદા પ્રાપ્તિ થાય છે, તથા દુઃખ દારિદ્ર, દૌર્ભાગ્ય, કુગતિ, કુમતિ, કુશરીર, રોગ, શોક, સંતાપ, ભય, અપમાનાદિક, કદાપિ કાલે તેને થતા નથી. - ઘર દેરાસરજીને વિષે ક્વા બિંબ જોઇએ. अथातः संप्रवक्ष्यामि, गृहे बिंबस्य लक्षणम् । एकांगुलं भवेच्छेष्ठं, द्वयंगुलं धननाशनम् ॥१॥ त्र्यंगुले जायते सिद्धिः, स्वादुद्वेगसतु षडंगुले ॥२॥ सप्तांगुले गवां वृद्धि, र्हानिरष्टांगुले मता । नवांगुले पुत्रवृद्धि, धर्मनाशो दशांगुले ॥३॥ एकादशांगुलं बिंब, सर्वकामार्थकारकं । एतत्प्रमाणमाखेयातं, तत ऊर्ध्वंन कारयेत् ॥४॥ ભાવાર્થ : ઘરદેરાસરજીને વિષે કેવા બિંબ જોઈએ, તેના લક્ષણને શાસ્ત્રકાર મહારાજ કહે છે કે હું કહીશ, એક આંગુલનું બિંબ હોય તો તે શ્રેષ્ઠ કહેવાય છે, બે આંગુલનું બિંબ હોય તો ધનનો નાશ કરે છે, (૧) ત્રણ આંગુલનું હોય તો સિદ્ધિ થાય છે, ચાર આંગુલનું હોય તો પીડા થાય છે, પાંચ આંગુલનું હોય તો વૃદ્ધિ થાય છે, છ આંગુલનું બિંબ હોય તો ઉગ કરનાર થાય છે. (૨) સાત આંગુલનું હોય તો ગાયોની વૃદ્ધિ થાય છે, આઠ આંગુલનું હોય તો હાનિ થાય છે, નવ M૫૪૦ ૫૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy