SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ પાસાક્રીડા કરતા રાજા રાણીને નહિ જીતી શકવાથી અજિતઃ ૨ જેને વિષે ચોત્રીશ અતિશયોની સંભાવના હોવાથી સંભવ તથા આ ભગવાનની સ્તુતિ કરવાથી સં-સુખ થાય તેથી સંભવ તેમજ ભગવાન માતાના ગર્ભમાં આવવાથી ઘણા પ્રકારના ધાન્યની ઉત્પત્તિ થઈ તેમજ ભગવાનના જન્મથી પ્રથમ પડેલો દુષ્કાળનો નાશ થયોતેથી સંભવ : ૩ દેવોના ઇંદ્રોએ વારંવાર વંદન, નમન, સ્તવન, કિર્તન કરવાથી અભિનંદન અથવા ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી જ ઇંદ્રમહારાજાએ વારંવાર વંદન સ્તવન કરવાથી અભિનંદન ૪ ભગવાનની ઉત્તમ પ્રકારની મતિ હોવાથી સુમતિ અથવા ભગવાન ગર્ભમાં આવ્યા હતા ત્યારે તેમની માતાની બુદ્ધિ બે શોકયોનોવ્યવહારિક ઝગડો છેદવાને માટે સારા નિશ્ચયવાળી હોવાથી સુમતિઃ ૫ શરીરની કાંતિને આશ્રિત્ય કમલના સમાન જેની કાંતિ હતી તેથી પદ્મપ્રભ અથવા ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પાને વિષેશયન કરવાનો દોહલો ઉત્પન્ન થયોતે દેવતાએ પૂર્ણ કર્યો તેથી પદ્મપ્રભ તેમજ પાના સમાન વર્ણ હોવાથી પદ્મપ્રભ. ૬ જેના પડખા મહાશોભાયુક્ત હતા તેથી સુપાર્શ્વ, અથવા પ્રભુ ગર્ભને વિષે આવ્યા ત્યારે માતાના બન્ને પડખા મહાશોભનીક ઉત્તમ થયા તેથી સુપાર્શ્વ. ૭ ચન્દ્રના સમાન સૌમ્ય મનોરમ જેની કાન્તિ છે. ઇતિ ચન્દ્રપ્રભઃ તથા ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે ચન્દ્રમાનું પાન કરવાનો દોહલો ઉત્પન્ન થયો તેથી ચન્દ્રપ્રભઃ ૮. જેને ઉત્તમ પ્રકારનો વિધિ છે. તેથી સુવિધિ તથા પ્રભુ ગર્ભમાં આવ્યા પછી ભગવાનની માતા સર્વ વિધિવિધાનમાં કુશલ થયા. તેથી સુવિધિ : ૯. બ૪૪ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy