SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ આહાર, ચંદન અને ફૂલોવડે જેઓએ સંઘનું પૂજન કરેલ છે. તેઓએ માનવભવ સફળ કરેલ છે. આ સાત ક્ષેત્ર જૈન રાજયમાં ફળ દેનારાં છે. તેમાં પણ જો ધનરૂપી બીજ વાવેલું હોય તો તેની અંદર વિનવિરહિત પણે ઉદયકારક ફળ પ્રાપ્ત થાય છે. (ઉપદેશ ચૌદમો) તીર્થક્ર ગણધર રૂપાદિ. તીર્થંકર મહારાજના રૂપથી ગણધરનું રૂપ અનંતગણું હીન હોય છે. ગણધરના રૂપથી આહારક શરીરનું રૂપ. અનંત ગણું હીન હોય છે. આહારક શરીરથી. અનુત્તર વૈમાનના દેવોનું રૂપ અનંતગણું હિનહોય છે. અનુતર વૈમાનના દેવોથી રૈવેયકના દેવોનું રૂપ, અનુક્રમે અનંતગણું હીન હોય છે. રૈવેયકના દેવોથી બારમા દેવલોકના દેવોનું રૂપ અનંતગણું હીન હોય છે.બારમાથી અગ્યારમાનું અનંતગણું હીન. અગ્યારમાંથી દસમાનું અનંતગણું હીન. દશમાથી નવમાનું અનંતગણું હીન નવમાથી આઠમાનું અનંતગણું હીન આઠમાથીસાતમાનું અનંતગણુ હીન. સાતમાંથી છઠ્ઠીનું અનંતગણું હીન છઠ્ઠાથી પાંચમાનું અનંતગણું હીન. પાંચમાંથી ચોથાનું અનંતગણું હીન, ચોથાથી ત્રીજાનું અનંતગણું હીન. ત્રીજાથી બીજાનું અનંતગણું હીન. બીજાથી પહેલા દેવલોકનું અનંતગણુંહીન. પહેલા દેવલોકના દેવોથી ભુવનપતિ દેવોનું રૂપ અનંતગણું હીન. ભુવનપતિથી જ્યોતિષી દેવોનું રૂપ અનંતગણું હીન. જ્યોતિષીથી વ્યંતરનું અનંતગણું હીન. વ્યંતરથી ચક્રવર્તીનું રૂપ અનંતગણું હીન. ચક્રવર્તીથી વાસુદેવનું અનંત ગણું હીન વાસુદેવથી બળદેવનું અનંતગણ હીન. ઉતરતું ઉતરતું જાણવું. બાકીના રાજાઓ, તથા લોકો, છ ભાગે હીન જાણવા. ૧ અનંત ભાગહીના ૨ અસંખ્ય ભાગહીના. ૩ સંખ્ય ભાગહીના. ૪ સંખ્ય ગુણહીના. પ અસંખ્ય ગુણહીને. ૬ અનંત ગુણહીના. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy