SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કેટલું કહેવું. ભાવપૂજા માટે આગમમાં કહેલું છે કે – मेरुस्स सरिसवस्सय, जित्तियमित्तं अंतरं होइ । दव्वत्थय भावत्थय, अंतरं तत्तिय नेयं ॥१॥ ભાવાર્થ : મેરુ અને સરસવનું જેટલું આંતરું હોય છે તેટલું આંતરુ, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવને વિષે જાણવું. વળી પણ કહ્યું છે કે - उक्कोसं दव्वत्थयं, आराहिय जाइ अच्चुयं जाव । भावत्थएण पावइ अंतमुहत्तेणं निव्वाणं ॥२॥ ભાવાર્થ : ઉત્કૃષ્ટતાથી દ્રવ્યસ્તવના આરાધના કરવાથી બારમા દેવલોક સુધી, અને ભાવસ્તવ કરનાર અંતમુહૂર્તમાં મુક્તિને વિષે જાય છે, કારણ કે ઉત્કૃષ્ટપણે કરેલી ભાવપૂજા શીઘ્રતાથી મુક્તિમાં પહોંચાડે છે. ભગવાન્ શ્રી મહાવીર મહારાજા. કહે છે કે હે ગૌતમ ! આ અર્થે તેજ પરમાર્થ છે, ગૃહસ્થોને ભેદ ઉપાસનારૂપ દ્રવ્યપૂજા હોય છે, ભેદ ઉપાસનારૂપ એટલે આત્માથી અરિહંત પરમેશ્વર જૂદા છે. પ્રાપ્ત થયેલા આત્માનંદના વિલાસી છે. તેની ઉપાસના એટલે નિમિત્ત આલંબનરૂપ સેવા, તે રૂપ દ્રવ્યપૂજા, ગૃહસ્થીઓને છે, અને સાધુઓને તો અભેદ ઉપાસના, એટલે પરમાત્માથકી પોતાનો આત્મા અભિન્ન છે, એવા પ્રકારની ભાવપૂજા યોગ્ય છે, યદ્યપિ અહંનું ભગવાનના ગુણનું સ્મરણ કરવું, તેમનું બહુમાન કરવું, એવા ઉપયોગરૂપ, સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થીયોને પણ છે, તો પણ નિર્વિકલ્પ ઉપયોગવાળી, આત્મસ્વરૂપના એકત્વરૂપ ભાવપૂજા તો મુનિમહારાજાઓને જ યોગ્ય છે. દ્રવ્ય અને ભાવ, આ બે પ્રકારની પૂજા સ્વપરના પ્રાણ રક્ષણરૂપ, દયારૂપી પાણીવડે સ્નાન કરી, પૌગલિક સુખની ઇચ્છાના અભાવરૂપ સંતોષ વસ્ત્ર ધારણ કરી, સ્વપરવિભાગના જ્ઞાન રૂપ વિવેકનું તિલક M૩૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy