SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૪. અભિષેકો વ્યંતરનીચાર અગ્રમહિષીના, ૪. અભિષેકો જ્યોતિષીની ચાર અગ્રમહિષીના, ૪. અભિષેકો ચારલોકપાલના, ૧. અભિષેક અંગરક્ષકદેવનો, ૧. અભિષેક સામાનિક દેવનો, ૧. અભિષેક કટકાધિપ દેવનો, ૧. અભિષેક ત્રાયશ્રિંશક દેવનો, ૧. અભિષેક પર્ષદાના દેવનો, ૧. અભિષેક પ્રજાસ્થાનીય દેવનો, એ પ્રકારે અઢીસો અભિષેકો થયા. ઉપદેશ નવમો સ્નાન પછી ઇંદ્રગમન શ્રી જિનેશ્વરમહારાજનો સ્નાત્ર મહોત્સવ મેરુપર્વત ઉપર થઇ રહ્યા પછી, પ્રભુજીને તેમના મંદિરને વિષે પધરાવી, ઇંદ્રો, નંદીશ્વરદ્વીપે જાય છે. ૧. તેમાં પ્રથમ સૌધર્મેદ્ર, દેવતાઓના નિવાસરૂપ, નંદીશ્વરદ્વીપે ગયા, ત્યાં પૂર્વ દિશામાં ૨હેલ, ૮૪,૦૦0 યોજન ઊંચા પ્રમાણવાળા, દેવરમણ નામના અંજનિરિ પર્વત ઉપર ઉતર્યા. ત્યા તેમણે વિચિત્રમણિની પીઠિકાવાળા ચૈત્યવૃક્ષ, અને ઇંદ્રધ્વજવડે અંકિત ચાર દ્વારવાળા, ચૈત્યમાં પ્રવેશ કર્યો. ત્યાં અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક ઋષભાદિક ચાર શાશ્વતપ્રતિમાજીની પૂજા કરી. તે અંજનગિરિની ચારે દિશાઓમાં ચાર મોટી વાવડીયો છે, તેમાં એકેક સ્ફટિકમણિનો દધિમુખપર્વત છે, તે ચારે પર્વતોની ઉપરના ચૈત્યોમાં શાશ્વતા અદ્વૈતોની પ્રતિમાઓ છે, શકેંદ્રના ચાર દિગ્પાલોએ, અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક તે પ્રતિમાજીની યથાવિધિ પૂજા કરી. Jain Education International ૨૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy