SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કાંઈ લખાઈ જાય છે તેમ જીવો મિથ્યાત્વમાં દોડતા હોવાથી જ્યાં જાય ત્યાં સંશયમાં જ પડે છે. જેમ ઔષધના અંજનથી આંખનો તિમિર રોગ મટી જાય છે તેમ સદ્ગના જ્ઞાનરૂપી અંજન કરવાવડે મિથ્યાત્વ તિમિર દૂર થાય છે, જેમ હૈપાયને ચારે બાજુથી દ્વારિકાને શલગાવી દીધી અને અનેમાંથી કોઈ નીકળી શક્યું નહિ તેમ તું પણ માયાગ્નિમાં ફસાએલ ત્યાંથી નીકળી કેવી રીતે ક્યાં ભાગી શકીશ ? માટે મુનિ મહારાજાઓ માયાને ત્યાગી નિગ્રંથ સાધુનો વેષ લઈ મુક્તિ પંથે પડે છે, તેમ તમો પણ માયાજાળ ત્યાગી મુક્તિનો પંથ પકડો. જેમ કુધાતુમાં મેળવેલ કંચનની કાંતિ ઘટવધ થાય છે તેમ પાપ પૂન્ય કરનાર મૂઢ આત્મા બહુજાતિભવોને કરે છે, તો પણ કાંચન પોતાનો કાંતિનો ગુણ ત્યાગ નહિ કરવાથી શુદ્ધ થઈ દિવ્ય કાંતિ આપે છે, તેમ પુન્ય પાપરૂપ મેલ ધોવાથી આત્મા પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી પરમાત્મારૂપ થાય છે. જેમ પર્વરાહુનો સંગ થતા સૂર્ય ચંદ્રની કાંતિ વિનાશ પામે છેતેમ કુસાધુની સંગતિ કરવાથી સજ્જન હોય તે પણ મલિન થાય છે. જેમ મલયાચલના ચંદનની સુગંધ લીંબડાને પણ સુગંધી ચંદન રૂપ બનાવે છે તેમ સારા સાધુની સંગત કરવાથી દુર્જન પણ સજ્જન થાય છે. જેમાં ચારે બાજુથી પાણી આવવાથી તળાવ ભરાઈ જાય છે, તેમ આશ્રવરૂપી પાણી આવવાથી આત્મા કર્મબંધનથી ભરાઈ જાય છે, જેમ તળાવમાં આવતું પાણી બંધ કરવાથી તળાવ સુકાઈ જાય છે તેમ આશ્રવારબંધ કરવાથી આત્મા કર્મમળને બંધ થવાથી બહુ જ નિર્મળ થાય છે, જેમ જડીબુટ્ટીના યોગે પારો મરે છે તેમ કર્મ મેલથી જીવો પણ મૂચ્છિત થયેલ છે જેમ મેલ કાઢીને મંજન કરવાથી પારો પ્રગટ રૂપવાળો થાય છે, તેમ શુકલધ્યાન અભ્યાસથી જ્ઞાનદર્શન નિર્મળ થાય છે, માટે હે ચહેન ! જ્ઞાનદશાને જાગૃત કરી, વિવેકરૂપ દીપક પ્રગટ કરી મોહ મમત્વ વારી, ધ્યાનાનલ પ્રગટાવી, આત્મારૂપ કંચન શુદ્ધ કરી, નિર્મળ કેવળજ્ઞાન દર્શન ઉપાર્જન કરી, સકળ કર્મમળ ધોઈ, શીઘ્રતાથી શિવરમણી વરી અખંડ ચિદાનંદ સુખનો ભોક્તા થા. M૩૬૮ ૩૬૮ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy