SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જિનેશ્વર ભગવંતની આણા મસ્તકે ધરી, પોસહ પડિક્કમણા, પચખાણ કરનાર, જ્ઞાની ગુરુનું બહુમાન કરનાર, હૃદયમાં અરિહંતનું ધ્યાન ધરનાર, ચતુર્વિધ ધર્મ કરનાર આવા ભાગ્યવંત શ્રાવકાં પાંચમા આરામાં થશે એમ ભગવંતે ભાખેલ છે, એમ જાણી ધર્મકાર્યમાં ચિત્ત ધારણ કરી ધર્મકાર્યને બહુ પ્રકારે કરો, ધર્મ વિશે ઉદ્યમ કરવાથી ધન મળે છે અને મુક્તિ પણ મળે છે. (ઉપદેશ એક્સો અડતાલીસમો) આત્માની કિંચિત આત્મતા અહો ભવ્યાત્મા ! તું અસંખ્યાત પ્રદેશ છે. અનંત જ્ઞાનમય છે, અનંત દર્શનમય છે, અનંત ચારિત્રમય છે, અનંત વીર્યમય છે, અનંત દાનમય છે, અનંત લાભમય છે, અનંત ભોગમય છે,અનંત ઉપભોગમય છે, અરૂપી છે, અખંડ છે, અગરુલઘુ છે, અક્ષય છે, અજર છે, અમર છે, અશરીરી છે, ઇંદ્રિય રહિત છે, અણાહારી છે, અલેશી છે, અનુપાદિ છે, અરાગી છે, અષી છે, અક્રોધી છે, અમાની છે, અમારી છે, અલોભી છે, અમોહી છે, અકલેશી છે, મિથ્યાત્વ રહિત છે, અવ્રત રહિત છે, કષાય રહિત છે, યોગ રહિત છે, સંસાર રહિત છે, સિદ્ધસ્વરૂપ છે, સ્વઆત્મસત્તાવંત છે, પરસત્તા રહિત છે, સ્વભાવનો કર્તા છે, પરભાવનો અકર્તા છે, સ્વભાવનો ભોક્તા છે, પરભાવનો અભોક્તા છે, જ્ઞાયક સ્વભાવી છે, પરભાવ વિભાવી છે, સ્વક્ષેત્ર અવગાહી છે, પરક્ષેત્ર અનાવગાહી છે, લોકપ્રમાણ અવગાહનાવંત, ધર્માસ્તિકાયથી ભિન્ન છે, અધર્માસ્તિકાયથી ભિન્ન છે, આકાશાસ્તિકાયથી ભિન્ન છે, પગલા સ્તિકાયથી ભિન્ન છે, પરકાલથી ભિન્ન છે, સ્વદ્રવ્યજંત, સ્વક્ષેત્રવંત, સ્વકાલતંત, સ્વભાવવંત છે, અવસ્થાનપણે સ્વગુણસ્થાન છે, કાર્યભેદ ભિન્નછે, દ્રવ્યાસ્તિકાયપણે નિત્ય છે, પર્યાયાસ્તિકાયપણે અનિત્ય છે, દ્રવ્યપણે એક છે, ગુણ પર્યાયપણે અનેક છે, અનંતા દ્રવ્યાસ્તિક ધર્મ અનંતાપર્યાયાસ્તિક ધર્મ એવી સ્વસંપદાથી ચેતના લક્ષણે લક્ષિત, M૩૬૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy