SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કર્મો કરી દુષ્ટ ગતિનો બંધ નાખશે, ભાવ વિજય સાથે ભાવ નહિ રાખે, એટલે સારો ભાવ રાખશે નહિ, સુમતિ વિજય દીઠો ગમશે નહિ, એટલે સારો સુમતિનો બોધ નજરે પડ્યોસાંભળ્યો પણ ચિત્તને તુષ્ટિ નહિ કરે, તેજ (તપ) વિજયનો તન નવિ ભલે, એટલે શરીરનું તપથી શોષણ કરશે નહિ, મુક્તિવિજયનો સંગ કેમ મળશે, તેને મોક્ષની સંગતિ કેવી રીતે મળશે, માટે મુક્તિ મળે તેવી જ કરણી કરવાની જરૂર છે. પાંચમાં આરામાં સાધુ સાધ્વીના સંબંધીનું લખાણ દિવાળી કલ્પ ઉપદેશ પ્રસાદાદિ ઘણા પુસ્તકોમાં છે, તો ઉપરોક્ત લખાણમાં કાંઈ અતિશક્તિ જેવું નથી,તે વિના પણ અત્યારે બીજા ઘણા દુરગુણો જોવામાં આવે છે તે તો પ્રત્યક્ષ બારિકથી જોનાર માણસ ઘણા જોઈ શકે છે. ભલે આ દુષમ કાળ રહ્યો, તેમાં ભારે કર્મી જીવો ભલે નબળા હોય, પણ તે આજ પાંચમાં આરામાં ઘણા પુન્યશાળીઓ, ભાગ્યશાળીઓ, પ્રભાવિકો, ઉત્તમોત્તમ, યુગ પ્રધાનો, એકાવનારીઓ થયા છે અને થશે માટે પ્રભુના વચન ઉપર પ્રેમ રાખીસાધુ વેષ ધારણ કરી જે પ્રભુને કહેલું સત્ય પડે ચાલશે તેને જ મુક્તિ નજીક છે બીજાને નહિ. (ઉપદેશ એક્સો સુડતાલીસમો) પાંચમા આરાના શ્રાવક્ના ગુણો શાસ્ત્રકાર મહારાજાએ જૈન સિદ્ધાંતમાં શ્રાવકના ૨૧ ગુણો કહ્યા છે, પણ હાલમાં એ તમામ ગુણો વિપરીતપણે રહેલા છે, એ દુષ્ટ કાળનો દોષ છે એમ સમજી સર્વે સંતોષને ધારણ કરો, ક્ષુદ્રતા યુક્ત, કુટિલતા યુક્ત,કુવચન બોલનાર, નિંદકપણું, નિમ્નહિપણું, વિનયહીન, નમ્રતાહન, સ્તબ્ધપણું, અભિમાનીપણું, પરનિંદા કરવામાં બહુ જ પ્રેમીપણું, એક પણ નિયમમાં મનની દ્રઢતા રહિતપણું, છિદ્રગવેષીપણું, પરદ્રોહીપણું, મન ઉપર રાગ રહિતપણું, મગશેલીયા પાષાણની પેઠે ધર્મવચન હૃદયમાં નહિ ધારણ કરનાર, ચારણી જેવા ગુણ ધારણ કરનાર, (૩૫ ૩૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy