SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૩૨ જઘન્ય અવગાહનાયે એક સમયે ઉત્કૃષ્ટ ૪ મોક્ષે જાય ૩૩ મધ્યમ અવગાહનાયે એક સમયે ઉત્કૃષ્ટ ૧૦૮ મોક્ષે જાય જેને વિશેષ જાણવાની ઇચ્છા હોય તેણે બૃહસંગ્રહણીમાં જોઈ લેવું. (ઉપદેશ એક્સો છત્રીસમો) અસ્વાધ્યાય યોગ્ય કાળે મૃત ભણવું, ભણાવવું, તથા વ્યાખ્યાન કરવું તે શ્રતધર્મનો પ્રથમ આચાર પંડિત પુરૂષોયે કહેલો છે. અગ્યાર અંગ અને ઉત્તરાધ્યયન વિગેરે કાલિક શ્રુત કહેવાય છે, તે દિવસે તથા રાત્રિયે પહેલી અને ચોથી પોરિસીમાં ભણવું, ગણવું, અને દશવૈકાલિક વિગેરે તથા દ્રષ્ટિવાદ ઉત્કાલિક શ્રુત કહેવાય છે. તેનો ભણવા વિગેરેનોકાળ સર્વ પોરિસીનો છે, તેમાં સૂત્રની પોરિસીમાં સૂત્ર ભણવું, અને અર્થની પોરિસીમાં અર્થ, અથવા ઉત્કાલિક શ્રુત વિગેરે ભણવું દિવસેતથા રાત્રિની પહેલી અને છેલ્લી પોરિસીમાં અસ્વાધ્યાય (અસજ્જાય) ને અભાવે ભણાય તેથી તેનું નામ કાલિક કહેવાય છે, કાલિકનો શબ્દાર્થ એવો છે કે યોગ્ય કાળેજ ભણવું તે અને માત્ર કાળવેલા શિવાય બધી પોરિસીમાં ભણાય તેને ઉત્કાલિક કહ્યું છે, કાલિક તથા ઉત્કાલિક બને શ્રુતનો લઘુ અનધ્યાય કાળ બે ઘડીનો છે.તેવી કાળ વેળા પ્રત્યેક અરોહાત્રમાં ચાર આવે છે, તેટલો વખત તજવો તે ચાર વખત આ પ્રમાણે ૧. સંધ્યાવખતે (સાયંકાળે) ૨. મધ્ય રાત્રિયે ૩. પ્રભાતે ૪. મધ્યાન્હ વખતે, એ ચાર કાળ વેળાયે તો કોઈ દિવસ સ્વાધ્યાય કરવો નહિ, પણ પડિલેહણ વિગેરે બીજી ક્રિયા કરવાનો નિષેધ નથી, અન્ય ધર્મમાં પણ કાળને વખતે સંધ્યા-વંદન વિગેરે ક્રિયાઓ કરવામાં આવે છે, બ્રાહ્મણો હંમેશા ત્રણ સંધ્યાયે મળી ત્રણસો ચોવીશ વાર ગાયત્રી મંત્રનો જાપ પૂર્ણ કરે છે, દુષ્કાળ વખતે સર્વ શાસ્ત્રોમાં સૂત્રાદિકનું પઠન-પાઠન સર્વથા નિષેધ કરેલું છે. ૩૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy