SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ઉત્પન્નથઇ, તે ધર્મના પ્રતાપે. અભયકુમારને ઔત્પાતિકી, વૈનેયિકી, કાર્મિકી, પરિણામની ચાર પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થઈ, તે ધર્મના પ્રતાપે. રોહાની શીધ્ર બુદ્ધિ, તે પણ ધર્મના પ્રતાપે. ડામરદૂતની શીધ્ર બુદ્ધિ, તે પણ ધર્મના પ્રતાપે. બે લાખ યોજનાના લવણસમુદ્રની શીખા,સોળ હજાર યોજન ઊંચી ચડે છે, વલંધર દેવતા પાણીના સમૂહને ધારણ કરી રાખે છે, આવો લવણસમુદ્ર મર્યાદા મૂકી જંબૂકીને બોળી દેતો નથી, તે ધર્મના પ્રતાપે. અગ્નિ તિર્થનથી બળતો, તે ધર્મના પ્રતાપે. પવન સર્વ જગ્યાએ વાય છે,તે ધર્મના પ્રતાપે. મેઘ સમગ્ર દુનિયામાં વર્ષ, અન્ન, પાણી, ઘાસની વૃદ્ધિ કરે છે, તે ધર્મના પ્રતાપે. ચિંતામણિ, કામકુંભ કામધેનુ, કલ્પવૃક્ષ, ચિત્રવેલી, દક્ષિણાવર્ત શંખ, પારસમણિ, વિગેરે દેવતાધિષ્ઠત પદાર્થોની પ્રાપ્તિ થાય છે, તે ધર્મના પ્રતાપે. સૌધર્મેદ્રને ૩ર લાખ વિમાન, ૮૪ હજાર પ્રત્યેક દિશામાં રક્ષણ કરનારા દેવો, ૮ ઇંદ્રાણિયો વિગેરેનું પ્રભુત્વપણું તે ધર્મના પ્રતાપે. ચક્રવર્તીને ૯૬ કોટી ગામ, ૯૬ કોટી પાયદળ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ રથ, ૧ લાખ બાણું હજાર વારાંગના, ૩૨ હજાર દેશ, ૩૨ હજાર મુકુટબદ્ધ રાજા, ૨૫ હજાર યક્ષ, ૧૪ રત્નો, ૯ નિધિયો વિગેરેનું નાયકપણું તે ધર્મના પ્રતાપે. લોકોના ઘરમાં મદ ઝરનારા મદોન્મત્ત હાથીઓ, જાતિવંત ઉત્તમ ઘોડાઓ વિગેરે સામગ્રી મળે છે, તે ધર્મના પ્રતાપે. શ્રેણિક, વિક્રમ, સંપ્રતિ, આમ, કુમારપાળ વિગેરે મહાનુ રાજાઓ ધર્મિષ્ઠ થયા તે ધર્મના જ પ્રતાપે. સાધુસિંહ, મહણસિંહ, ગજસિંહ, જગતસિંહ, સમરરાજ, ૩૨૩. ૩૨૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy