SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ નિરંતર દુઃખ આપવાવાળા ભોગોનો પરિહાર કરી પંડિત પુરુષોએ, સદા પ્રધાન પુરૂષાર્થરૂપ નિરતિચાર તથા આશંસાના અભાવથી મુક્તિને માટે ધર્મ ગ્રહણ કરવો તે જ યોગ્યતા છે. આ સંસારને વિષે, જેને વિષે ઈર્ષ્યા, શોકની વાત્સલ્યતા રહેલી છે, તે પ્રિય સંયોગ પણ અનિત્ય છે, તેમજ કુત્સિત ખરાબ વ્યવહારનું જેને વિષે આચરણ રહેલું છે તેવું યૌવન પણ અનિત્ય છે, તીવ્ર કલેશ વતિથકી ઉત્પન્ન થયેલી, દુઃખના ઉપાદાન કારણ ભૂત સંપત્તિઓ પણ અનિત્ય છે, તેમજ સમગ્ર વ્યવહારના કારણભૂત દુઃખરૂપ જીવિત પણ અનિત્ય છે, વારંવાર જન્મ અને વારંવાર મરણ, એમ વારંવાર જન્મમરણથી હીન હીનતર સ્થાનોના આશ્રય થવાથી આ ભવમાં બિલકુલસુખનો ગંધ માત્ર નથી. આ સંસારને વિષે પ્રકૃતિથી જ પ્રિય સંગમાદિક સર્વ અસુંદર ખરાબ છે, માટે વિવેકી પંડિત પુરુષોને કોઈપણ સ્થળે આ સંસારમાં આસ્થા કરવા જેવું છે? હોય તો કહો ? બોલો ! - અધ્યાત્મ કલંક, કલ્યાણિકલંક વર્જિત રૈલોકયવંદિત, નિરંતર સનાતન, અને તીર્થંકરાદિ ભાવના હેતુભૂત સ્થિર આશયવાળા શીલશાળી પુરુષોએ સેવેલ ધર્મ મૂકી બીજું કાંઈ પણ સુખ આ જગતમાં નથી, કાંઇપણ નિત્ય નથી, તેમજ કાંઈપણ શાશ્વત નથી. બીજાઓ કહે છે કે, સૂક્ષ્મ નીતિરીતિપણે જો જોવા જોઇએ તો ધર્મને વિષે પણ આસ્થા કરવી યુક્ત નથી, કારણ કે ધર્મ કરણીકરવાથી પુણ્યકર્મરૂપ શાતાવેદનીનો બંધ પડે છે, તે પણ સોનાની બેડીરૂપ છે, અને અધર્મ કરે છે, તો તે પણ પાપકર્મરૂપ અશાતા વેદનીનોબંધ પડે છે. તે પણ લોઢાની બેડીરૂપ છે, તો આ બન્નેને વિષે આત્માનું પરતંત્રપણું રહે છે, તેથી પરતંત્રપણામાં આત્માનું કલ્યાણ થઈ શકે નહિ, માટે ધર્મકરણી કરવામાં આસ્થા કરવી યુક્ત નથી, આવું જાણી અધર્મના પેઠે, ધર્મને પણ મૂકવાની ઇચ્છા કરનારે, ધર્મનો પણ ત્યાગ કરવો, કારણ કે ધર્મ તથા અધર્મના ક્ષયથી જ આત્માને મુક્તિ મળે છે. ૨૫૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy