SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સર્વ બાહ્ય ઉપાધિને અંતરના સાવદ્ય યોગોને, આ શરીરને છેલ્લા શ્વાસોશ્વાસે હું વોસિરાવું છું. સર્વ વસ્તુઓનું અનિત્યપણું, મરણથી અશરણપણું, સંસારનું વૈચિત્ર્યપણું. કર્મને મથન કરવામાં, જીવ તથા શરીરને અન્યત્વપણું છે, શરીરને વિષે અશૌચપણું છે, તથા કર્મોનું જ આશ્રય કરવાપણું છે, તેનો જે સંવર તેને નિર્જરા કહે છે, તે નિર્જરાને તથા ધર્મનું સારી રીતે ખ્યાતિપણું, બોધિસુલભતા વિગેરે બાર ભાવના તથા મૈત્રી આદિ ચાર ભાવના એ સર્વેને હું ભાવું છું. ગુરુ, સંઘ, માતા, પિતા, નાથ, ધર્મ, શત્રુ, મિત્ર, સાધર્મી, વૈધર્મી વિગેરેને ખેદ પમાડેલાને હું નમાવું છું. | સર્વે પોતપોતાના કરેલા કર્મોને ભોગવે છે, માટે તેમાં બીજો કોઈઅપકારી કે ઉપકારી નથી, માટે તેને વિષે રોષ તોષ કરવો યુક્ત નથી, તેથી તેને ખમાવું છું, હું ખમું છું. હું સર્વે જીવોને ખમાવું છું, તે સર્વેને વિષે મારે મિત્રભાવ છે, પણ વિરોધ નથી. વળી મેરુપર્વતના સમાન પ્રમાણવાળા આહારથી પણ મારી તૃપ્તિ થઈ નથી, અને પનિકાયના જીવોના ઘાતથી, જેની ઉત્પત્તિ નિશ્ચય છે, જે આહારની ચારે ગતિમાં સુપ્રાપ્તિ છે તે આહારને હું સત્ત્વ ધારણ કરી વોસિરાવું છું. જે નમસ્કારને પામીને પાપિષ્ટ જીવો પણ દેવ ગતિને પામે છે, ચક્રવર્તીપણામાં દેવપણામાં જે મનુષ્યોને જે નમસ્કાર મંત્ર પ્રાપ્ત થવો દુર્લભ છે જેના પ્રતાપથી સમગ્ર સુખો પ્રાપ્ત થાય છે, તેમજ ભવસમુદ્ર પણ ગોષ્પદ માત્ર બની રહે છે તે પંચપરમેષ્ઠી મહારાજના નમસ્કારનું હું સ્મરણ કરું છું, આવી રીતે જે ભાગ્યશાળી જીવ, મરણ વખતે આરાધના કરે છે તે શીઘ્રતાથી ભવસમુદ્રના પારને પામે છે. ૨૫૪ ૨૫૪ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy