SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ભાવાર્થ : સર્વેની નિંદા કરવી અને ગુણવડે કરી ગરીષ્ઠ જીવોની વિશેષ નિંદા કરવી, તથા ઋજુ (સરલ)જીવો ધર્મકરણી કરે તેની હાંસીમશ્કરી કરવી, અને લોકોને વિષે પૂજનિક જીવોની ખ્રિસના કરવી, જેના વિરોધી બહુ લોકો હોય તેનો સંગ કરવો તથા દેશાચારનું ઉલ્લંઘન કરવું, તથા ઉદ્ભટ્ટ ભોગ કરવો એટલે દાનધર્માદિક પ્રગટપણે માનતા છતાં પણ ઉત્તમ જીવો દાન ધર્માદિકને માને છે કરે છે. તે પ્રગટ જોયા છતાં પણ તેમના ઉપર પ્રેમ નહિ ધારણ કરતાં, દાનધર્માદિકને નહિ માનતાં પરલોકના સુખ પ્રત્યે અનાદર કરતા અહીં જ ભોગફળમાં કેવળ લક્ષ્મીને ઉડાવી દેનારાઓ તથા સાધુને દુઃખ આપે, સજ્જનોને પીડા થાય તે દેખીને રાજી થનારા, તથા પોતાની છતી શક્તિ છતાં પણ તેનો સદ્ઉપયોગ નહિ કરનારા તેમજ બીજાનો ઉપકાર નહિ કરનારાઓ જેઓ હોય છે તે સર્વને એટલે ઉપરોક્ત તમામ લોકવિરુદ્ધ કર્તવ્યો જાણવા. (ઉપદેશ એકશીમો) લોકાસ્થિતિ આઠ પ્રકારે ૧. જંબૂદ્વીપ અને લવણ સમુદ્ર. ૨. ઘાતકી ખંડ અને કાલોદધિ સમુદ્ર. ૩. પુષ્કરવર દ્વીપ અને પુષ્કરવર સમુદ્ર. ૪. વણવર દ્વીપ અને વરુણવર સમુદ્ર. ૫. સીરવીર દ્વીપ અને ક્ષીરવર સમુદ્ર. ૬. બૃતવર દ્વીપ અને વૃતવર સમુદ્ર ૭. ઈયુવર દ્વીપ અને ઇક્ષુવર સમુદ્ર. ૮. નંદીશ્વર દ્વીપ અને નંદીશ્વર સમુદ્ર. એવી રીતે સ્વયંભૂરમણ સમુદ્ર સુધીમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રો M૨૨૦) ૨૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy