SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ अंगुल्याग्रेण यज्जप्तं, यज्जप्तं मेरुलंघनैः । व्यग्रचित्तेन यज्जप्तं, तत्सर्वं निष्फल भवेत् ॥१॥ ભાવાર્થ : આંગુલીના અગ્રભાગથી કરેલ જાપ, મેરુને ઉલ્લંઘન કરી કરેલ જાપ, ચિત્તની વ્યગ્રતાથી કરેલ જાપ આ સર્વ નિષ્ફળ થાય છે તે બરાબર ધ્યાનમાં રાખવાનું છે. આ ચાલતા કાળમાં નૌકારવાળીયો ગણનારા તો બહુ જ છે, પણ નૌકારવાળી ગણતાં વાતો કરવી, ક્રોધ કરવો, અસત્ય બોલવું, ચાલતા ગણવી, વ્યાખ્યાનમાં ગણવી, એક પગ ઊભો રાખી ગણવી, લમણે હાથ દઈ ગણવી, કમ્મરે હાથ દઈ ગણવી, ડોલતો ડોલતા ગણવી, ઊંઘતા ઊંઘતા ગણવી, તે તો નૌકારવાળીયો ગણનારાના મૂળ પ્રીન્સીપલો છે, સિવાય ચિત્તની નિર્મલતા, ગણવામાં આસ્થા ફળમાં લાલસા રહિતતા, હોય, ન હોય તો નૌકારવાળી ગણનારાના આત્માઓ અને પરમાત્મા બે જાણે આ બાબત મારા જેવા પામરથી, વિશેષે કરી લખી શકાય નહિ. (ઉપદેશ ઓગણએંસીમો) નવ નિધાનો ૧. નૈસર્પ, ગામ, નગર, પુર, પાટણ જળપથ, થલપથ, દ્રોણ મુખ, મંડપ, કટકને વિષે, હાટ પ્રામાદિકની સ્થાપના કરે છે. ૨. પાંડુક, ગણવાની વસ્તુઓ દિનારાદિ, સોપારી આદિ, ગાયના સ્વરભેદ, પાટવતાકરણ, ધાન્યાનુમાન, સેતિકાદિમાન, ઉન્માન, તુલાદિ, બીજાદિ, શાલ્યાદિનું વપન, દેશકાળ પ્રમાણે ઉત્પન્ન કરે છે. ૩. પિંગળ મનુષ્યોના, સ્ત્રીઓના, હાથીના, ઘોડા વિગેરેના આભરણાદિકને આપે છે. ૪. સર્વ રત્ન, ચક્રવર્તીના ચૌદ રત્નો ઉત્પન્ન કરે છે. ૨૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy