SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ભવ્ય જીવોને ધર્મદેશના આપે છે. ૬. ભામંડલ-શરદ ઋતુના સૂર્યના કિરણ જેવું દિવ્ય ભામંડલ દેવતાઓ ભગવાનની પાછળ બનાવે છે, તેથી પ્રભુની પ્રભાની કાંતિ ભામંડલમાં સંક્રમણ થવાથી તમામ જીવો પ્રભુના દિવ્યરૂપને જોઈ શકે છે. જો ભામંડલ ન હોય તે ભગવાનનું રૂપ અનંતગણું મનહર હોવાથી જેમ સૂર્યના સન્મુખ કોઈથી ન જોવાય તેમ પ્રભુ સન્મુખ જોઈ શકાય નહી, કારણ કે પ્રભુનું રૂપ અનંતગણું છે. ૭. દુંદુભિ-દેવતાઓ આકાશમાં દુંદુભિ વગાડી જગતના જીવોને જણાવે છે કે પ્રમાદને ત્યાગ કરી ભગવાનની વાણીને સેવો. ૮. છત્ર- દરેક બાજુયે ત્રણ છત્રો, એમ ચારે દિશાએ મળીને બાર છત્રો પ્રભુના મસ્તક ઉપર હોય છે. ૯. અપાયાગમાતિશય-સ્વઆશ્રિત અઢાર દોષ રહિત, પર આશ્રી પ્રભુ વિહાર કરે તે જગ્યાએથી, ઉત્તર, દક્ષીણ, પશ્ચિમ, અગ્નિ, ઈશાન, વાયવ્ય અને નૈરૂત્ય, ઉચે તથા નીચે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગ, શોક, ભય, સ્વચક્ર, પરચક્ર, દુભિક્ષ, ડમરાદિક, સવાસો યોજનમાં હોય નહિ, ૧૦. જ્ઞાનાતિશય-ભગવાન કેવલજ્ઞાનથી લોકાલોકના સ્વરૂપને જાણનાર હોય. ૧૧. પૂજાતિશય- વાસુદેવ,બલદેવ, ચક્રવર્તી ચાર નીકાયના દેવો ત્રણ જગતના જીવો પ્રભુને પૂજવાની અભીલાષા કરે. ૧૨. વચનાતિશય-ભગવાનની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચોને, ભીલના “સરો'નત્થિના કથન મુજબ દરેકને સમજાય છે. એક ભિલ્લને ત્રણ સ્ત્રિયો હતી. એકદા વગડામાં ભિલ્લને એક સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિન્ ! ભૂખ લાગી છે, ખાવાનું આપો. બીજીયે કહ્યું તૃષા લાગી છે પાણી દે, ત્રીજીયે કહ્યું સારું ગાન કર. આ ત્રણેને ભીલે ‘સરો નત્થિ”, એક જ શબ્દમાં જુદીદજુદી રીતે સમજાવી દીધી. ખાવાનું માગનારીને સરો ન©િ બાણ નથી, તેથી કેવી રીતે જીવને માર્યા વિના તને ખાવા આપું, બીજીને હ્યું કે સરો નત્યિ, સરોવર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy