SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૧. પોતાની ભૂલની સાચા દિલથી ક્ષમા માંગી, કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું તે મૃગાવતી સાધ્વીને તોલે કોણ આવે ? ૨. વાસ ઉપર ચઢી નાટક કરતાં છતાં પણ, મુનિરાજને દેખી ઇલાયચી કુમાર કેવળજ્ઞાન પામ્યા તે ભાવનાનો જ પ્રતાપ. ૩. કપિલ બ્રાહ્મણ અશોક વાટિકામાં, જાતિસ્મરણ જ્ઞાન પામ્યા તે સર્વ ભાવનાનો જ પ્રતાપ છે. '૪. ભોજનમાં ઘૂંક તથા નાસિકાનો મેલ પાત્રમાં નાખ્યા છતાં પણ, તે ભોજન શુદ્ધ આશયથી વાપરી જઈ કુરગડુ મુનિ કેવળજ્ઞાન પામ્યા, તે ઉત્તમતા ભાવનાની જ છે. ૫. પૂર્વભવમાં આચાર્યપણે જ્ઞાનની આસાતના કરવાથી જ્ઞાનહીન થએલા માસતુષ મુનિ કેવળી થયા, તે ભાવનાના પ્રતાપે જ ૬. હસ્તિના ઉપર બેઠેલા મરૂદેવા માતા, શ્રી ઋષભદેવપરમાત્માની ઋદ્ધિ દેખી, કેવળી થઇ મોક્ષે ગયા તે ભાવનાનો જ પ્રતાપ. ૭. અરણિકા પુત્ર આચાર્યની વૈયાવચ્ચ કરતા,પુષ્પચૂલા સાધ્વી કેવળી થયા તેનું વર્ણન કોણ નહિ કરે ? ૮. શ્રી ગૌતમસ્વામીએ દીક્ષા આપેલ ૧૫૦૩ તાપસો કેવળ પામ્યા તે ભાવનાની જ મહત્તા છે. ૯. પાપી પાલકો, ઘાણીમાં ઘાલી પીલેલા ૫૦૦ મુનિમહારાજાઓ કેવળી થઈ મોક્ષે ગયા તે પ્રતાપ શુદ્ધ ભાવનાનો છે. ૧૦. શ્રી મહાવીર સ્વામી મહારાજાને ચરણે, સીંદુવારના પુષ્પો ચડાવી પૂજા કરવાની ઇચ્છાવાળી, દુર્ગતા નારી સ્વર્ગે ગઈ તેમજ એકાવતારી થઈતે ભાવનાની જ બલિહારી છે. ૧૧. મહાવીરસ્વામીને નમવા જતો દેડકો, શ્રેણિક મહારાજના ઘોડાના પગ તળે ચગદાઈ જવાથી મરણ પામી દુર્દરાંક દેવપણે ઉત્પન્ન થયો, તે મહિમા ભાવનાનો જ જાણવો. ૧૯૯) ૧૯૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy